Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા

બુધવારે મુંબઈમાં(Mumbai)  કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે, આ સાથે 251 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા
7 days home quarantine mandatory for UAE Travelers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 11:48 AM

Mumbai : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC (Bombay Municipal Corporation) દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. BMCના જણાવ્યા અનુસાર, દુબઈ સહિત UAEથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો(International Traveler)  જેઓ મુંબઈના રહેવાસી છે તેમણે ફરજિયાતપણે 7 દિવસના હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. ઉપરાંત આગમન સમયે મુસાફરો માટે RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે.

ત્રીજી લહેરના ભણકારા…!

બીજી તરફ રાજ્યમાં વધતા ઓમિક્રોનના સંક્રમણે (Omicron Variant) પણ તંત્રની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં બુધવારે ઓમિક્રોનના 85 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં નવા વેરિઅન્ટના 250 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના 3900 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે એકિટવ કેસનો આંકડો 14,065 પર પહોંચી ગયો છે.

મુંબઈમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ

જો મુંબઈની વાત કરીએ તો બુધવારે મુંબઈમાં(Mumbai)  કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે 251 કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈમાં કોરોના વાયરસના 1377 નવા કેસ નોંધાયા હતા. મંગળવારની સરખામણીમાં બુધવારે કેસમાં 82% જેટલો વધારો નોંધાયો છે. આ રીતે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.

તમને જણાવવુ રહ્યુ કે, રાજ્યના પર્યટન અને પર્યાવરણ મંત્રીએ BMC અધિકારીઓ સાથે બુધવારે એક બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યુ કે આ અઠવાડિયાથી કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાયો છે.જ્યારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ  મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ સાથે ઠાકરેએ રસીકરણ અને માસ્કના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : Section 144 in Mumbai : મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ, નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ

Latest News Updates

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
g clip-path="url(#clip0_868_265)">