AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા

બુધવારે મુંબઈમાં(Mumbai)  કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે, આ સાથે 251 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા
7 days home quarantine mandatory for UAE Travelers
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 11:48 AM
Share

Mumbai : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC (Bombay Municipal Corporation) દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. BMCના જણાવ્યા અનુસાર, દુબઈ સહિત UAEથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો(International Traveler)  જેઓ મુંબઈના રહેવાસી છે તેમણે ફરજિયાતપણે 7 દિવસના હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. ઉપરાંત આગમન સમયે મુસાફરો માટે RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે.

ત્રીજી લહેરના ભણકારા…!

બીજી તરફ રાજ્યમાં વધતા ઓમિક્રોનના સંક્રમણે (Omicron Variant) પણ તંત્રની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં બુધવારે ઓમિક્રોનના 85 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં નવા વેરિઅન્ટના 250 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના 3900 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે એકિટવ કેસનો આંકડો 14,065 પર પહોંચી ગયો છે.

મુંબઈમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ

જો મુંબઈની વાત કરીએ તો બુધવારે મુંબઈમાં(Mumbai)  કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે 251 કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈમાં કોરોના વાયરસના 1377 નવા કેસ નોંધાયા હતા. મંગળવારની સરખામણીમાં બુધવારે કેસમાં 82% જેટલો વધારો નોંધાયો છે. આ રીતે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.

તમને જણાવવુ રહ્યુ કે, રાજ્યના પર્યટન અને પર્યાવરણ મંત્રીએ BMC અધિકારીઓ સાથે બુધવારે એક બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યુ કે આ અઠવાડિયાથી કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાયો છે.જ્યારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ  મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ સાથે ઠાકરેએ રસીકરણ અને માસ્કના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : Section 144 in Mumbai : મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ, નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">