AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Section 144 in Mumbai : મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ, નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ

મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ કરવામાં આવી છે,31 ડિસેમ્બરની રાત્રિ અને નવા વર્ષની ઉજવણીના કારણે ભીડ એકત્ર થવાની સંભાવનાને કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Section 144 in Mumbai : મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ, નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ
Section 144 imposed in Mumbai till January 7
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:03 AM
Share

Maharashtra Omicron Alert : 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી (New Year celebration)ના કારણે મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના સંક્રમણ વધી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government )નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન હેઠળ કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. આ અંતર્ગત મુંબઈમાં આજથી 7 જાન્યુઆરી 2022 સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી 

પોલીસે (Police)30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને ક્લબ સહિત કોઈપણ બંધ કે ખુલ્લી જગ્યાએ નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી માટે, મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ શકે છે. જે કોરોના ચેપને વધુ ફેલાવી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પણ સમગ્ર રાજ્ય માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના કાર્યક્રમો માટે, જો હોલ બુક કરવામાં આવ્યો હોય, તો ક્ષમતામાંથી માત્ર 50 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. ઉપરાંત, આયોજકોએ ભીડ ન વધે તેની કાળજી રાખવી, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.

આતાશબાજી પર પણ પ્રતિબંધ

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં બાળકો અને વૃદ્ધો માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. નવા વર્ષ નિમિત્તે કોઈપણ પ્રકારના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ મનાઈ છે. આતાશબાજી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Omicron variant: ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે રોગપ્રતિકારક શક્તિ બની રહી હોવાનો રિસર્ચમા ખુલાસો !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">