AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં હાઈ એલર્ટ, ખાલિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે હુમલો; તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સંભવિત આતંકી હુમલાને લઈને તમામ પોલીસકર્મીઓની રજાઓ અને સાપ્તાહિક રજાઓ રદ કરવામાં આવી છે.

મુંબઈમાં હાઈ એલર્ટ, ખાલિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે હુમલો; તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ
Maharashtra Police (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:33 PM
Share

કોરોના વાયરસના (Corona virus) નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) સંકટ વચ્ચે દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ફરી એકવાર આતંકવાદીઓના ઓછાયા હેઠળ છે. સંભવિત આતંકી હુમલાને જોતા મુંબઈના તમામ પોલીસકર્મીઓની (Mumbai Police) રજાઓ રદ્દ કરવામાં આવી છે.

રાષ્ટ્રીયસ્તરની સમાચાર સંસ્થાએ મુંબઈ પોલીસને ટાંકીને અહેવાલમાં કહ્યું છે કે, એવી માહિતી મળી હતી કે ખાલિસ્તાની આતંકી તત્વો (Khalistani terrorists) શહેરમાં આતંકવાદી હુમલા કરી શકે છે, જેના પછી મુંબઈ પોલીસ એલર્ટ પર છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તમામ પોલીસકર્મીઓની રજાઓ અને સાપ્તાહિક રજાઓ રદ કરવામાં આવી છે અને મુંબઈમાં તૈનાત દરેક પોલીસકર્મી ફરજ પર રહેશે.

મુંબઈ રેલવે પોલીસ (Mumbai Railway Police) કમિશનર કૈસર ખાલિદે જણાવ્યું હતું કે મુંબઈમાં એલર્ટને (Alert in Mumbai) ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય સ્ટેશનો, દાદર, બાંદ્રા, ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને અન્ય સ્ટેશનો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે 3000 થી વધુ રેલ્વે સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. મુંબઈના મહત્વના રેલ્વે સ્ટેશનોએ સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મીડિયાના અહેવાલમાં ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલને (Home Minister Dilip Walse Patil ) ટાંકીને કહેવામાં આવ્યું છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મુંબઈમાં કોવિડ-19ની ત્રીજી લહેર મુંબઈમાં દેખાવા લાગી છે. શહેરમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની અસર પણ વધી રહી છે. જે બાદ હવે સાવચેતીના ભાગરૂપે મુંબઈ પોલીસે અહીં કલમ 144 લગાવી દીધી છે.

મુંબઈમાં ચાર લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ છે. સ્વાભાવિક છે કે આ વખતે મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ફિક્કી પડશે. મુંબઈમાં કલમ 144 આગામી 7 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. હવે નવા વર્ષ નિમિત્તે ઇન્ડોર અને આઉટડોર સેલિબ્રેશન ઉપર પણ પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચોઃ

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ

આ પણ વાંચોઃ

Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">