AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ

શરદ પવારે PMની કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું કે એક વખત તેઓ કોઈ કાર્ય કરે છે તો તેઓ તેને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરે છે, મોદી ખૂબ મહેનત કરે છે અને કામ પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપે છે.

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ
Sharad Pawar And PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:05 PM
Share

Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે (Sharad PAwar) પીએમ મોદી નરેન્દ્ર મોદીના કામની પ્રશંશા કરી છે. બુધવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એનસીપી વડા શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે પીએમ મોદીની વહીવટ પર સારી પકડ છે, એ જ તેના પક્ષને ઘણો મજબૂત કરે છે.

શરદ પવારે PMની કાર્યશૈલીની કરી પ્રશંશા

શરદ પવારે PMની કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું કે એક વખત તેઓ કોઈ કાર્ય કરે છે તો તેઓ તેને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરે છે. પવારે વધુમાં કહ્યું કે મોદી ખૂબ મહેનત કરે છે અને કામ પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપે છે. મોદીનો (PM Narendra Modi) સ્વભાવ એવો છે કે તેઓ એક વખત કોઈ પણ કાર્ય હાથમાં લે છે, ત્યારે તેઓ ખાતરી કરે છે કે જ્યાં સુધી તેઓ તેમના નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી તેઓ અટકતા નથી.

NCPના વડાએ વધુમાં જણાવ્યુ હતુ કે વડાપ્રધાન એ વાત પર પણ ભાર મૂકે છે કે વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓ તેમની સરકારની નીતિઓના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે કેવી રીતે એક સાથે આવી શકે. મોદી પાસે તેમના સાથી પક્ષોને સાથે લેવાની અલગ રીત છે અને તે શૈલી મનમોહન સિંહ જેવા ભૂતપૂર્વ વડા પ્રધાનોમાં પણ નહોતી.

પવારે આ રીતે ભુતકાળને વાગોળ્યો

પવારે કહ્યુ કે હું અને તત્કાલિન પીએમ મનમોહન સિંહનું માનવું હતું કે ગુજરાતના તત્કાલિન સીએમ મોદી વિરુદ્ધ બદલાની રાજનીતિ ન કરવી જોઈએ. વધુમાં પવારે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના CM હતા, ત્યારે હું કેન્દ્રમાં હતો. જ્યારે વડાપ્રધાન તમામ મુખ્યપ્રધાનોની બેઠક બોલાવતા હતા, ત્યારે મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોના જૂથનું નેતૃત્વ કરતા હતા અને કેન્દ્ર પર સવાલો પણ ઉઠાવતા હતા.

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં મોદીને કેવી રીતે જવાબ આપવો તેની રણનીતિ બનાવવામાં આવી હતી. મારા સિવાય યુપીએ સરકારમાં એવો કોઈ અન્ય મંત્રી નહોતો જે મોદી સાથે વાત કરી શકે કારણ કે તેઓ મનમોહન સિંહ સરકાર પર સતત પ્રહારો કરતા હતા.

આ પણ વાંચો : PM Modi in Haldwani: PM મોદીએ કહ્યું- મારો 7 વર્ષનો રેકોર્ડ જુઓ, મારો સમય જૂની વસ્તુઓને ઠીક કરવામાં ખર્ચાઈ રહ્યો છે

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">