AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ

શરદ પવારે PMની કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું કે એક વખત તેઓ કોઈ કાર્ય કરે છે તો તેઓ તેને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરે છે, મોદી ખૂબ મહેનત કરે છે અને કામ પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપે છે.

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ
Sharad Pawar And PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:05 PM
Share

Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે (Sharad PAwar) પીએમ મોદી નરેન્દ્ર મોદીના કામની પ્રશંશા કરી છે. બુધવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એનસીપી વડા શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે પીએમ મોદીની વહીવટ પર સારી પકડ છે, એ જ તેના પક્ષને ઘણો મજબૂત કરે છે.

શરદ પવારે PMની કાર્યશૈલીની કરી પ્રશંશા

શરદ પવારે PMની કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું કે એક વખત તેઓ કોઈ કાર્ય કરે છે તો તેઓ તેને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરે છે. પવારે વધુમાં કહ્યું કે મોદી ખૂબ મહેનત કરે છે અને કામ પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપે છે. મોદીનો (PM Narendra Modi) સ્વભાવ એવો છે કે તેઓ એક વખત કોઈ પણ કાર્ય હાથમાં લે છે, ત્યારે તેઓ ખાતરી કરે છે કે જ્યાં સુધી તેઓ તેમના નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી તેઓ અટકતા નથી.

NCPના વડાએ વધુમાં જણાવ્યુ હતુ કે વડાપ્રધાન એ વાત પર પણ ભાર મૂકે છે કે વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓ તેમની સરકારની નીતિઓના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે કેવી રીતે એક સાથે આવી શકે. મોદી પાસે તેમના સાથી પક્ષોને સાથે લેવાની અલગ રીત છે અને તે શૈલી મનમોહન સિંહ જેવા ભૂતપૂર્વ વડા પ્રધાનોમાં પણ નહોતી.

પવારે આ રીતે ભુતકાળને વાગોળ્યો

પવારે કહ્યુ કે હું અને તત્કાલિન પીએમ મનમોહન સિંહનું માનવું હતું કે ગુજરાતના તત્કાલિન સીએમ મોદી વિરુદ્ધ બદલાની રાજનીતિ ન કરવી જોઈએ. વધુમાં પવારે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના CM હતા, ત્યારે હું કેન્દ્રમાં હતો. જ્યારે વડાપ્રધાન તમામ મુખ્યપ્રધાનોની બેઠક બોલાવતા હતા, ત્યારે મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોના જૂથનું નેતૃત્વ કરતા હતા અને કેન્દ્ર પર સવાલો પણ ઉઠાવતા હતા.

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં મોદીને કેવી રીતે જવાબ આપવો તેની રણનીતિ બનાવવામાં આવી હતી. મારા સિવાય યુપીએ સરકારમાં એવો કોઈ અન્ય મંત્રી નહોતો જે મોદી સાથે વાત કરી શકે કારણ કે તેઓ મનમોહન સિંહ સરકાર પર સતત પ્રહારો કરતા હતા.

આ પણ વાંચો : PM Modi in Haldwani: PM મોદીએ કહ્યું- મારો 7 વર્ષનો રેકોર્ડ જુઓ, મારો સમય જૂની વસ્તુઓને ઠીક કરવામાં ખર્ચાઈ રહ્યો છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">