Maharashtra : થાણેના અંબરનાથમાં ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઉલ્હાસનગરની મધ્ય જિલ્લા સરકારી હોસ્પિટલમાં (Government Hospital) દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં શિવાજી નગર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Maharashtra : થાણેના અંબરનાથમાં ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
Car and Auto Rickshaw Accident Near Ambernath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:44 AM

Maharashtra :  મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લાના અંબરનાથ ખાતે રવિવારે સાંજે એક ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચારેય મૃતકો ઉલ્હાસનગરના (Ulhasnagar)હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા જ શિવાજી નગર પોલીસ (Shivaji Nagar Police Station) ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ ઘટના અંબરનાથના પાલેગાંવ નજીક બની હતી. MIDC રોડ પર કારે ઓટો રિક્ષાને (Auto Rikshaw)ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઉલ્હાસનગરની મધ્ય જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ શિવાજી નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.મળતી માહિતી મુજબ, લોકો ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા હતા અને વચ્ચે આ દુર્ઘટના થઈ, જોકે પોલીસે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

નાલાસોપારામાં ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી, જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

થોડા દિવસો પહેલા મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લાના નાલાસોપારા પૂર્વમાં બે યુવાનો લોડેડ ડમ્પર સાથે અથડાયા હતા. આ અથડામણમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતક યુવકનું નામ રોહિત મિશ્રા અને બીજાનું નામ વિનય તિવારી હોવાનું સામે આવ્યુ હતુ. તે બંને ઉત્તર પ્રદેશના(Uttar pradesh) ભદોહી જિલ્લાના રહેવાસી હતા અને નોકરીની શોધમાં તેઓ મુંબઈ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ અકસ્માત 6 સપ્ટેમ્બરના રોજ થયો હતો.

આ બંને યુવાનો નાલાસોપારા પૂર્વના સેન્ટ્રલ પાર્ક નજીકથી જઈ રહ્યા હતા. તે દરમિયાન યુ-ટર્ન(Turn) લેતી વખતે તેમની બાઇકને ડમ્પરે ટક્કર મારી હતી. આ અથડામણમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મામલે તુલંજ પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ડમ્પર (Dumper) ચાલકની હાલ પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Maharashtra : ભાજપ નેતા કિરીટ સૌમૈયાનો ચોકાવનારો દાવો, ઠાકરે સરકારના બે મોટા પ્રધાનોના કરોડોના કૌભાંડની ફાઈલ તૈયાર

આ પણ વાંચો: BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ – વાહ !

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">