NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની મળી ધમકી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે.

NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની મળી ધમકી
Sameer Wankhede, Former NCB officer ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 11:29 AM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede) સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. ‘અમન’ નામના ટ્વિટર હેન્ડલે 14 ઓગસ્ટે સમીર વાનખેડેને મેસેજ કર્યો હતો. મેસેજમાં વ્યક્તિએ લખ્યું, “તમે જાણો છો કે તમે શું કર્યું છે, તમારે આ માટે ભોગવવું પડશે… તમને ખતમ કરી દેવાશે”. આ પછી સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસનો (Goregaon Police) સંપર્ક કર્યો અને તેઓ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે. ગઈ કાલ ગુરુવારે સમીર વાનખેડેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે સમીર વાનખેડેએ NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કેસ નોંધ્યાના બીજા જ દિવસે તેને આ ધમકી મળી હતી. સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ, તેમણે ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ NCP નેતા નવાબ મલિક વિરુદ્ધ તાજેતરમાં જ FIR નોંધાવી છે. વાનખેડેએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. હવે ગોરેગાંવ ડિવિઝનના એસીપી આ મામલાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે સમીર વાનખેડેએ SC-ST એક્ટ હેઠળ આ કેસ દાખલ કર્યો છે. વાસ્તવમાં આર્યન ખાનની ધરપકડ બાદ મલિકે મંત્રી હોવા છતાં વાનખેડે પર એસસી એસટીના નકલી દસ્તાવેજો બનાવીને નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો હતો અને વાનખેડેને મુસ્લિમ ગણાવ્યો હતો.

હવે તાજેતરમાં જ એસસી-એસટી કમિશને આ મામલે વાનખેડેને ક્લીનચીટ આપી છે. એસસી-એસટી કમિશન તરફથી ક્લીનચીટ મળ્યા બાદ, તરત જ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આવી સ્થિતિમાં નવાબ મલિક જે, ડી કંપનીની પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે ખરીદવા અને મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં છે. હવે આ નવી FIR નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો કરશે પરંતુ મુંબઈમાં ફરી એકવાર મલિક VS વાનખેડે પાર્ટ 2 શરૂ થશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">