મુંબઈમાં દર વર્ષે આવે છે પૂર, તો તેનાથી માત્ર 150 કિમી દૂર આવેલા પુણેમાં કેમ પડે છે દુષ્કાળ ?

મુંબઈ અને પુણે વચ્ચે માત્ર 150 કિલોમીટરનું અંતર હોવા છતાં મુંબઈમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જ્યારે પુણેમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોય છે, ત્યારે આવું કેમ થાય છે. તેની પાછળ કયા કારણો જવાબદાર છે. તેના વિશે આ લેખમાં જાણીશું.

મુંબઈમાં દર વર્ષે આવે છે પૂર, તો તેનાથી માત્ર 150 કિમી દૂર આવેલા પુણેમાં કેમ પડે છે દુષ્કાળ ?
Mumbai & Pune
Follow Us:
| Updated on: Aug 15, 2024 | 5:37 PM

મુંબઈમાં દર વર્ષે પૂર તો પુણેમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે સવાલ એ થાય કે બંને વચ્ચે માત્ર 150 કિલોમીટરનું અંતર હોવા થતાં મુંબઈમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જ્યારે પુણેમાં વરસાદ કેમ ઓછો પડે છે ? આના પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં ખાસ કરીને ભૌગોલિક સ્થિતિ અને આબોહવા જવાબદાર છે.

મુંબઈની વાત કરીએ તો, આ શહેર Windward બાજુ આવેલું હોવાથી ત્યાં વધુ વરસાદ પડે છે. સરળ ભાષામાં સમજીએ તો, અરબી સમુદ્ર તરફથી આવતા મોસમી પવનો પશ્ચિમ ઘાટ સાથે અથડાય છે, તેથી પશ્ચિમ બાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે છે. મુંબઈ પણ પશ્ચિમ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે.

સોડા સાથે વ્હીસ્કી પીનારાઓએ જાણી લેવી જોઈએ આ મહત્વની વાત
કાળુ ડિબાંગ અંધારુ કરીને સૂવાના છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 08-10-2024
વિટામિન B12 બનાવતી આ કંપનીએ 6 હજાર ટકા આપ્યું રિટર્ન, એક સમયે 23 રૂપિયા ભાવ
નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?

જ્યારે પુણે Leeward બાજુ આવેલું હોવાથી પૂણેમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. સરળ ભાષામાં સમજીએ તો, અરબી સમુદ્ર તરફથી આવતા મોસમી પવનો જ્યારે પશ્ચિમ ઘાટ પસાર કરે છે, તો આ પવનો ગરમ થઈ જાય છે, તેથી ભેજનું પ્રમાણ ઘટી જાય છે. તેથી પશ્ચિમ ઘાટની પૂર્વ દિશામાં આવેલા પુણેમાં વરસાદ ઓછો પડે છે, જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.

મુંબઈ અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને તેની ભૌગોલિક સ્થિતિ દરિયાની સપાટીની નજીક છે. આ શહેર નદીઓ, તળાવો અને નહેરોથી ઘેરાયેલું છે, જે વરસાદની મોસમમાં ભરાઈ જાય છે. વધુમાં ચોમાસા દરમિયાન દરિયાઈ પવનો ભારે વરસાદ લાવે છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને મુંબઈમાં પૂરની સ્થિતિ સર્જાય છે.

જ્યારે પુણે મુંબઈ કરતાં વધુ ઊંચાઈએ આવેલું છે અને અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. તે પશ્ચિમ ઘાટની પૂર્વમાં સ્થિત છે, જ્યાં ચોમાસાના પવનો પહોંચતા પહેલા નબળા પડી જાય છે. આ કારણે પુણેમાં મુંબઈ કરતાં ઓછો વરસાદ પડે છે, જેના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે.

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
g clip-path="url(#clip0_868_265)">