Maharashtra Assembly: જાણો કોની યાદે લાવ્યા મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આંખમાં આંસુ

પોતાના ગુરુને યાદ કરીને સીએમ શિંદે વિધાનસભામાં ખૂબ જ ભાવુક દેખાતા હતા. આ સાથે તેમણે તેમના બે બાળકોનો પણ ઉલ્લેખ કર્યો, જેમને તેણે ગુમાવ્યા છે. તેમનો ઉલ્લેખ કરીને તે રડવા લાગ્યા.

Maharashtra Assembly: જાણો કોની યાદે લાવ્યા મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આંખમાં આંસુ
CM Eknath Shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:58 PM

મહારાષ્ટ્રના (Maharashtra) સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) વિધાનસભામાં ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા. ભાષણમાં બાળકોનો ઉલ્લેખ કરતાં એકનાથ શિંદે રડી પડ્યા હતા. સીએમ શિંદેએ વિધાનસભામાં બહુમત સાબિત કર્યા બાદ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે પરિવારને જે જોખમનો સામનો કરવો પડ્યો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. સીએમ શિંદેએ કહ્યું કે તેમના બે બાળકોના મોત થયા છે. તે સમયે તે ખૂબ જ ભાંગી પડ્યા હતા. પછી ગુરુ આનંદ દિઘેએ તેમના માથા પર હાથ મૂક્યો.

પોતાના ગુરુને યાદ કરીને સીએમ શિંદે વિધાનસભામાં ખૂબ જ ભાવુક દેખાતા હતા. આ સાથે તેમણે તેમના બે બાળકોનો પણ ઉલ્લેખ કર્યો, જેમને તેણે ગુમાવ્યા છે. તેમનો ઉલ્લેખ કરીને તે રડવા લાગ્યા. તેમણે કહ્યું કે તેમણે પહેલા જ તેના માતા-પિતાને ગુમાવી દીધા હતા અને બાદમાં તેમના પુત્રો પણ મૃત્યુ પામ્યા હતા. તેમણે પોતાનો આધાર ગુમાવ્યો હતો. તે સમયે આનંદ દિઘે તેમના માથા પર હાથ મૂક્યો હતો.

આ પણ વાંચો

સીએમ શિંદે વિધાનસભામાં રડી પડ્યા

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે તેમના પરિવાર પર હુમલો થયો છે. તેમણે જણાવ્યું કે તેમની માતાનું અવસાન થયું છે. પોતાના પરિવારના સંઘર્ષનો ઉલ્લેખ કરતા સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ કામમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે તેઓ તેમના માતા-પિતાને વધુ સમય આપી શકતા ન હતા. તે કામ પરથી ઘરે આવે ત્યાં સુધીમાં બંને સૂઈ જતા હતા. પોતાના ભાષણમાં આ વાતો કહેતા સીએમ શિંદેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જ્યારે તેઓ પરિવારને ગુમાવ્યા બાદ એકદમ એકલા હતા. તે સમયે આનંદ દિઘેએ તેમને પોતાના અને અન્ય લોકોના આંસુ લૂછવાનું કહ્યું. ગુરુ આનંદ દિઘે તેમને પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી. તેમણે જ તેમને વિધાનસભામાં શિવસેનાના નેતા બનાવ્યા હતા.

ગરીબી જોઈ છે, તેથી જ તેઓ ગરીબોની પીડા સમજું છું: શિંદે

શિંદેએ કહ્યું કે તેમણે ગરીબી જોઈ છે, તેથી જ તેઓ ગરીબોની પીડા સમજે છે. સીએમએ કહ્યું કે એકવાર ઉદ્ધવ ઠાકરેનો ફોન આવ્યો ત્યારે તેમની માતાએ કહ્યું હતું કે મારા બાળકનું ધ્યાન રાખજો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ તેમને કહ્યું કે તેમની માતા હજુ પણ તેમને બાળક કહે છે. પરંતુ એક સમય એવો આવ્યો, જ્યારે મારી સાથે કોઈ નહોતું. ત્યારે ધરમવીર આનંદ દિઘે તેની પીઠ પર હાથ મૂક્યો. આનો ઉલ્લેખ કરીને તે રડી પડ્યા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">