Mumbai : હવે દિવ્યાંગોને મળશે ઘરે બેઠાં રસી, BMC એ લીધો રસીકરણ અંગે મહત્વપુર્ણ નિણર્ય
મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પ્રાયોગિક ધોરણે શુક્રવારથી કોરોના વાયરસ સામેના અભિયાનના ભાગ રૂપે, રસી લેવા માટે રસીકરણ કેન્દ્રો પર ન આવી શકતા લોકોનું ઘરે જઈને રસીકરણ શરૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસો વધ્યાં હતા એ રીતે વેક્સિનેશનની ઝડપ પણ વધારવામાં મુંબઈ મહાનગર પાલીકા(BMC) કોઈ કસર છોડવા નથી માંગતુ એટલાં માટે જ બીએમસી(BMC) એ રસીકરણ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પ્રાયોગિક ધોરણે શુક્રવારથી કોરોના વાયરસ સામેના અભિયાનના ભાગ રૂપે, રસી લેવા માટે રસીકરણ કેન્દ્રો પર ન આવી શકતા લોકોનું ઘરે જઈને રસીકરણ શરૂ કરવામાં આવશે.
BMC માંથી જણાવવામાં આવ્યું છે કે, આ પહેલની શરૂઆત “કે – પુર્વ વહીવટી વોર્ડ”થી કરવામાં આવશે જેમાં અંધેરી પૂર્વ, મરોલ, ચકાલા અને અન્ય પશ્ચિમી ઉપનગરીય વિસ્તારોનો સમાવેશ થાય છે.
બીએમસીએ ગુરુવારે બપોરે આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, એવાં નાગરિકો કે જેઓ શારીરિક અથવા તબીબી કારણોસર રસીકરણ માટે કેન્દ્રો પર આવવા માટે સક્ષમ નથી, તેઓને 30 મી જુલાઇથી શરૂ થનારા રસીકરણ અભિયાન અંતર્ગત રસી આપવામાં આવશે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નિષ્ણાત સમિતિના નિર્દેશો મુજબ આ નાગરિકોને રસીનો ડોઝ આપવામાં આવશે તેમજ નિષ્ણાંતોની હાજરીમાં રસીકરણની પ્રક્રિયા કરવામાં આવશે અને તમામ યોગ્ય અને જરૂરી સાવધાની પણ રાખવામાં આવશે.
બીએમસીએ જણાવ્યું હતું કે આવા લોકો માટે રસીકરણ એનજીઓ પ્રોજેક્ટ મુંબઇની મદદથી કરવામાં આવશે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કોરોના મહામારીની ત્રીજી લહેરની ગંભીરતાને સમજીને પહેલેથી જ તૈયારીઓ આરંભી દીધી છે. આપણે જાણીએ છીએ કે, રસીકરણ એ કોરોના સામે લડવાનું મુખ્ય હથીયાર છે.
બીએમસી (BMC) પણ રસીકરણનું મહત્વ સમજે છે. એટલા માટે જ બીએમસી(BMC) ઓગસ્ટ, સપ્ટેમ્બર પહેલાં શક્ય તેટલા લોકોને રસી આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
બીજી તરફ, ખુદ બીએમસી એ અભ્યાસ પણ કરશે કે કોરોના રસી લોકો પર કેટલી અસરકારક સાબિત થઈ રહી છે. આ માટે બીએમસી હોસ્પિટલોમાંથી કોરોના દર્દીઓનો ડેટા એકઠો કરી રહી છે. રસી લીધા પછી કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના સંક્રમિત લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્ર આમ પણ રસીકરણમાં ઘણાં રાજ્યોથી આગળ છે. વધુમાં વધુ લોકોનુ રસીકરણ થઈ શકે તે માટે જે લોકોની પાસે કોઈ આઈડી અથવા દસ્તાવેજો નથી તેમને પણ રસી આપવામાં આવશે. આ માટે, દરેક વિભાગમાં આવા કેટલા લોકો છે, તેનો સર્વે કરવામાં આવશે. આ પછી તે લોકોના રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : KGF Chapter 2 : જન્મદિવસ પર ચાહકોને સંજય દત્તે આપી એક ગિફ્ટ, ઈંટેસ લુકમાં જોવા મળશે ‘અધીરા’