CBIએ ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ચાર્જશીટ દાખલ કરી, 100 કરોડની લાંચ લેવાનો આરોપ
આ વર્ષે એપ્રિલમાં, સીબીઆઈએ દેશમુખ (Anil Deshmukh), તેમના સહયોગીઓ પલાંડે અને શિંદે અને બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાજેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધવાની છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે મુંબઈની વિશેષ અદાલતમાં અનિલ દેશમુખ (Anil Deshmukh) અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવાયેલા આરોપ મુજબ દેશમુખ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
એક દિવસ પહેલા, મુંબઈની વિશેષ અદાલતે સરકારી સાક્ષી બનવા માટે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની અરજી સ્વીકારી હતી. સીબીઆઈ દ્વારા દેશમુખ અને તેમના અંગત સહયોગીઓ સંજીવ પલાંડે અને કુંદન શિંદે સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે.
Rs 100 crores corruption matter | CBI filed a charge sheet against former Maharashtra Home Minister Anil Deshmukh, his personal assistant Kundan Shinde and personal secretary Sanjeev Palande. Dismissed Police officer Sachin Waze has become an approver in the matter. pic.twitter.com/uNNPN1NHUn
— ANI (@ANI) June 2, 2022
મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે દેશમુખ
નોંધપાત્ર રીતે, 71 વર્ષીય અનિલ દેશમુખ મની લોન્ડરિંગ કેસમાં ગયા વર્ષે નવેમ્બરથી ન્યાયિક કસ્ટડીમાં છે અને શહેરની આર્થર રોડ જેલમાં બંધ છે. મની લોન્ડરિંગની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહી છે. આ વર્ષે એપ્રિલમાં, સીબીઆઈએ દેશમુખ, તેમના સહયોગીઓ પાલાંડે અને શિંદે અને બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાજેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
સીબીઆઈએ નોંધ્યો હતો કેસ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે પોલીસકર્મીઓને શહેરમાં રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવતાં તેમણે આ આક્ષેપો કર્યા હતા. દેશમુખે આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને તેમની સામે કેસ નોંધવાના નિર્દેશ આપ્યા બાદ તેમને પદ છોડવું પડ્યું હતું.