Maharashtra : વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં CM ઉદ્ધવની ગેરહાજરીને લઈને રાજકારણ ગરમાયુ, અજીત પવારે વિપક્ષ પર કર્યા પ્રહાર

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યુ કે, નાતંદુરસ્ત તબિયતના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી કાર્યક્રમો અને સભાઓમાં ભાગ લઈ રહ્યા નથી. તેમણે વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ હાજરી આપી ન હતી.

Maharashtra : વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં CM ઉદ્ધવની ગેરહાજરીને લઈને રાજકારણ ગરમાયુ, અજીત પવારે વિપક્ષ પર કર્યા પ્રહાર
Maharashtra Dy CM Ajit Pawar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 6:28 PM

Maharashtra : PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ગુરુવારે દેશમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરવા અને તેનાથી સંબંધિત પગલાં અંગે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાનો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)  ગેરહાજર રહ્યા હતા. જેને લઈને તેના પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. ત્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

મુખ્યમંત્રીની ગેરહાજરી પર વિપક્ષ આકરા પાણીએ

તેણે કહ્યુ કે, નાતંદુરસ્ત તબિયતના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી કાર્યક્રમો અને સભાઓમાં ભાગ લઈ રહ્યા નથી. તેમણે વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ હાજરી આપી ન હતી. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીની આ સતત ગેરહાજરી પર વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યા છે.

મુખ્યમંત્રીની ગેરહાજરી પર રાજનીતિ ન કરો

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું, ‘મીટિંગમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી પર રાજકારણ કરવા અથવા ટિપ્પણી કરવાનું કોઈ કારણ નથી. રાજ્યના લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવી એ મુખ્ય પ્રધાનનુ કામ છે. તેમની ટીમમાં સાથીદાર હોવાને કારણે હું અને દરેક જણ યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ. ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા જાણીતા ડોક્ટર્સ આ તમામ બાબતો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી પણ રોજેરોજ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેથી આ મુદ્દે રાજકારણ કરવાનું કોઈ કારણ નથી.અજિત પવારે વધુમાં કહ્યુ કે, દરેક વખતે મીટિંગમાં તેઓ હાજર રહે તે જરૂરી નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજ્ય સરકારે વેક્સિનની કરી માંગ

ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે, સીતારામ કુંટે અને દિલીપ ચક્રવર્તી હાજર હતા. આ બેઠકમાં તેમણે રાજ્યમાં રસીકરણના અભાવની સમસ્યા રજૂ કરી હતી. રસીકરણ કેન્દ્રોમાં 15 થી 18 વર્ષની વયજૂથની કિશોરીઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પરંતુ રસીનો પૂરતો જથ્થો ન હોવાને કારણે હાલ સમસ્યા સર્જાઈ રહી છે,જેથી કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગ કરવામાં આવી હતી. આ સાથે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝની ઉપલબ્ધતા વધારવાની પણ માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Goa Election 2022: કોંગ્રેસે શિવસેનાનો સાથ છોડ્યો ! શિવસેના સાંસદ સંજય રાઉતે આપ્યુ મોટુ નિવેદન

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">