AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : CM ઠાકરેએ આજે ​​તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો બેઠકમાં ક્યા મુદ્દા પર કરવામાં આવશે ચર્ચા

CM ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની (Political Party) બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક સરકારી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાશે.

Maharashtra : CM ઠાકરેએ આજે ​​તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો બેઠકમાં ક્યા મુદ્દા પર કરવામાં આવશે ચર્ચા
Devendra fadnavis and Uddhav Thackeray (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:59 AM
Share

Maharashtra :  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackery) તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્યત્વે OBC અને અન્ય અનામતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે,પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadanvis)પણ આ બેઠકમાં હાજરી આપશે. ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત આપવામાં આવી છે. જેથી હવે ગ્રુપ A અને ગ્રુપ B ના અધિકારીઓના મૃત્યુ પર કુટુંબના સભ્યોને પણ નોકરી આપવામાં આવશે.

કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત

શુક્રવારે બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક શુક્રવારે સવારે 11 વાગ્યે સરકારી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાશે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત આપી છે. હાલમાં, સરકારી સેવામાં ગ્રુપ C અથવા ગ્રુપ D ના કર્મચારીના મૃત્યુ પર, તેના પરિવારના એક સભ્યને સરકારી સેવામાં નિમણૂક આપવામાં આવે છે. પરંતુ હવેથી રાજ્ય કેબિનેટે હવે ગ્રુપ A અને ગ્રુપ Bના અધિકારીઓના કિસ્સામાં પણ આ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોના દરમિયાન ઘણા અધિકારીઓના મૃત્યુ બાદ આ માંગ ઉઠી હતી

કોરોના સમયે ઘણા અધિકારીઓના મૃત્યુ બાદ અધિકારીઓના સંગઠનો તરફથી માંગ કરવામાં આવી હતી કે તેમના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે, જેથી કેબિનેટ બેઠકમાં(Cabinet meeting) આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ હતુ કે,”આગામી સમયમાં 1200 ડોક્ટરોની ભરતી કરવામાં આવશે.” આ સાથે 7,000થી વધુ પેરામેડિકલ સ્ટાફની (Peramedical Staff)પણ ભરતી કરવામાં આવશે.”

તમને જણાવી દઈએ કે, કેબિનેટની બેઠકમાં આશા કામદારોના પગારમાં 1500 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તેનાથી 71 હજાર આશા વર્કરોને ફાયદો થશે. આ માટે અંદાજે 275 કરોડ રૂપિયા બજેટમાં (Budget)સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો: Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:  Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">