Maharashtra : રેલવે વિભાગની મુહિમ, ઘરેથી ભાગી ગયેલા બાળકોને કાઉન્સલિંગ બાદ પરિવાર સાથે મોકલ્યા, જાણો કેટલા બાળકોનું કર્યું રેસ્કયૂ

રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા છેલ્લા સાત મહિનામાં ઘર છોડીને ભાગી ગયેલા 477 બાળકોને કાઉન્સલિંગ બાદ તેમને પરિવાર સાથે ફરી જોડ્યા છે. મોટાભાગના બાળકો લડાઈ કે પારિવારિક વિવાદ અથવા વધુ સારા જીવનની શોધમાં પોતાનું ઘર છોડી દે છે.

Maharashtra : રેલવે વિભાગની મુહિમ, ઘરેથી ભાગી ગયેલા બાળકોને કાઉન્સલિંગ બાદ પરિવાર સાથે મોકલ્યા, જાણો કેટલા બાળકોનું કર્યું રેસ્કયૂ
Central Railway Rescued 477 Children
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 11:50 AM

Maharashtra : રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા મહારાષ્ટ્રના સ્ટેશનો પર છેલ્લા સાત મહિનામાં ઘરેથી ભાગી ગયેલા 477 બાળકોને તેમના માતા-પિતા સાથે ફરી જોડ્યા છે. મધ્ય રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર, બચાવાયેલા (Rescue) બાળકોમાં 310 છોકરાઓ અને 167 છોકરીઓ છે. ઉપરાંત આ બાળકોને એનજીઓની (NGO) મદદથી તેમના માતા-પિતા સાથે મળાવ્યા હતા.

એક નિવેદનમાં રેલવેએ જણાવ્યું હતું કે, આમાંથી મોટા ભાગના બાળકો લડાઈ, કેટલાક પારિવારિક વિવાદ અને વધુ સારા જીવનની શોધમાં તેમના પરિવારજનોને જાણ કર્યા વગર રેલવે સ્ટેશનો (Railway Station) પર આવ્યા હતા. આ બાળકો પ્લેટફોર્મ, ટ્રેન અથવા રેલવે સ્ટેશન નજીક ફરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ઘણા વાલીઓએ રેલવેની આ ઉમદા કામગીરિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

બાળકી તેલંગણાથી ઘર છોડીને મુંબઈ પહોંચી હતી

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

આપને જણાવી દઈએ કે, આ બાળકોને જાન્યુઆરીથી જુલાઈ 2021 ના ​​સમયગાળા દરમિયાન મધ્ય રેલવેના મુંબઈ, ભુસાવલ, નાગપુર, પુણે અને સોલાપુર વિભાગમાંથી બચાવવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ રેલ્વેએ એક ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતુ કે, 17 વર્ષની એક યુવતી મુંબઈમાં મોડેલિંગ અને એક્ટિંગમાં (Acting) પોતાની કારકિર્દી બનાવવા માટે પટનામાં તેના ઘરેથી ભાગી ગઈ હતી, જે યુવતીને કાઉન્સલિંગ કરીને તેમના પરિવાર સાથે મોકલવામાં આવી છે, જ્યારે અન્ય એક ઘટનામાં 14 વર્ષની છોકરી જે તેની માતાએ ઠપકો આપ્યા બાદ તેલંગણામાં તેના ઘરેથી ભાગીને મુંબઈ પહોંચી હતી.

આરપીએફ અને ફ્રન્ટલાઈન સ્ટાફની મહત્વની ભૂમિકા

રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ (Anil Kumar) જણાવ્યું હતું કે, ઘરેથી ભાગી ગયેલા બાળકોની સમસ્યાઓને સમજીને અને તેમના પરિવાર સાથે જવાની સલાહ આપીને રેલવે પોતાની સામાજિક જવાબદારી પૂરી કરે છે. ઉપરાંત વધુમાં તેમણે આરપીએફ અને ફ્રન્ટલાઈન સ્ટાફની (Frontline Workers) પણ પ્રશંસા કરી કે જેઓ તેમની સાહજિક સમજ સાથે આવી બાબતોને ઓળખીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના બાળકો પારિવારિક વિવાદ અને સારા જીવનની શોધમાં ઘરેથી દુર જતા જોવા મળે છે, ત્યારે સેન્ટ્રલ રેલવે વિભાગની આ પહેલની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Maharashtra : ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ

આ પણ વાંચો: Maharashtra: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને 25,000 રૂપિયાનો દંડ, ચંડીવાલ કમિટી સમક્ષ હાજર થયા ન હતા

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">