AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar: દિવંગત લતા મંગેશકરના સન્માનમાં બહાર પાડવામાં આવશે પોસ્ટલ ટીકીટ, કેન્દ્રીય રેલ્વે મંત્રીએ આપી માહિતી

સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. હવે કેન્દ્ર સરકાર દિવંગત ગાયિકના સન્માનમાં પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડવા જઈ રહી છે.

Lata Mangeshkar: દિવંગત લતા મંગેશકરના સન્માનમાં બહાર પાડવામાં આવશે પોસ્ટલ ટીકીટ, કેન્દ્રીય રેલ્વે મંત્રીએ આપી માહિતી
Lata Mangeshkar (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:21 PM
Share

પ્રખ્યાત ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરનું (Lata Mangeshkar)  લાંબી સારવાર બાદ રવિવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. લતા દીદીના ભાઈ પંડિત હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપી હતી. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સ્વર કોકિલાના નિધન બાદ દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ ગયા હતા. પીએમ મોદી ઉપરાંત દેશ-વિદેશના અનેક દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હવે કેન્દ્ર સરકાર ભારત રત્નથી સન્માનિત દિવંગત ગાયિકાના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવા જઈ રહી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં આ માહિતી આપી છે.

તેમને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશે પોતાનો અવાજ ગુમાવ્યો છે. લતા મંગેશકર દેશ માટે કોઈ વારસાથી ઓછા ન હતા. તેમને વર્ષ 2001માં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બીજી તરફ લતા મંગેશકરના ચાહકો અને સંગીત પ્રેમીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે સ્વર્ગસ્થ લતા દીદીના અંતિમ સંસ્કાર દાદરના જે શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ તેમનું સ્મારક બનાવવું જોઈએ.

 શિવાજી પાર્કમાં છે બાળાસાહેબ ઠાકરેનું સ્મારક

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક પણ શિવાજી પાર્કમાં આવેલું છે. બાળાસાહેબ ઠાકરે પછી લતા દીદી બીજી હસ્તી છે, જેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા છે. જ્યાં બાળાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાંથી થોડે દૂર લતા દીદીના અંતિમ સંસ્કાર પણ થયા છે.

લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ કોરોનાને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 28 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા. તેમણે કોરોના અને ન્યુમોનિયા પર વિજય મેળવ્યો હતો. પરંતુ શરીરના ઘણા અંગો બગડવાના કારણે આખરે 6 ફેબ્રુઆરીના રોજ સવારે 8:12 કલાકે તેમનું નિધન થયું હતું. સાંજે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મુંબઈના શિવાજી પાર્કમાં રાજનીતિ, સિનેમા અને રમતગમતની મોટી હસ્તીઓ હાજર રહી હતી.

આ પણ વાંચો : Lata Mangeshkar: લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના કોઈ મોટા નેતા હાજર ન હતા, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કારણ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">