Lata Mangeshkar: દિવંગત લતા મંગેશકરના સન્માનમાં બહાર પાડવામાં આવશે પોસ્ટલ ટીકીટ, કેન્દ્રીય રેલ્વે મંત્રીએ આપી માહિતી

સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. હવે કેન્દ્ર સરકાર દિવંગત ગાયિકના સન્માનમાં પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડવા જઈ રહી છે.

Lata Mangeshkar: દિવંગત લતા મંગેશકરના સન્માનમાં બહાર પાડવામાં આવશે પોસ્ટલ ટીકીટ, કેન્દ્રીય રેલ્વે મંત્રીએ આપી માહિતી
Lata Mangeshkar (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:21 PM

પ્રખ્યાત ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરનું (Lata Mangeshkar)  લાંબી સારવાર બાદ રવિવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. લતા દીદીના ભાઈ પંડિત હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપી હતી. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સ્વર કોકિલાના નિધન બાદ દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ ગયા હતા. પીએમ મોદી ઉપરાંત દેશ-વિદેશના અનેક દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હવે કેન્દ્ર સરકાર ભારત રત્નથી સન્માનિત દિવંગત ગાયિકાના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવા જઈ રહી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં આ માહિતી આપી છે.

તેમને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશે પોતાનો અવાજ ગુમાવ્યો છે. લતા મંગેશકર દેશ માટે કોઈ વારસાથી ઓછા ન હતા. તેમને વર્ષ 2001માં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બીજી તરફ લતા મંગેશકરના ચાહકો અને સંગીત પ્રેમીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે સ્વર્ગસ્થ લતા દીદીના અંતિમ સંસ્કાર દાદરના જે શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ તેમનું સ્મારક બનાવવું જોઈએ.

 શિવાજી પાર્કમાં છે બાળાસાહેબ ઠાકરેનું સ્મારક

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક પણ શિવાજી પાર્કમાં આવેલું છે. બાળાસાહેબ ઠાકરે પછી લતા દીદી બીજી હસ્તી છે, જેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા છે. જ્યાં બાળાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાંથી થોડે દૂર લતા દીદીના અંતિમ સંસ્કાર પણ થયા છે.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ કોરોનાને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 28 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા. તેમણે કોરોના અને ન્યુમોનિયા પર વિજય મેળવ્યો હતો. પરંતુ શરીરના ઘણા અંગો બગડવાના કારણે આખરે 6 ફેબ્રુઆરીના રોજ સવારે 8:12 કલાકે તેમનું નિધન થયું હતું. સાંજે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મુંબઈના શિવાજી પાર્કમાં રાજનીતિ, સિનેમા અને રમતગમતની મોટી હસ્તીઓ હાજર રહી હતી.

આ પણ વાંચો : Lata Mangeshkar: લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના કોઈ મોટા નેતા હાજર ન હતા, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કારણ

Latest News Updates

શેલામાં ગટર પાઈપલાઈનનું કામ પૂરુ ન થતા અકસ્માત સર્જાવાનો ભય
શેલામાં ગટર પાઈપલાઈનનું કામ પૂરુ ન થતા અકસ્માત સર્જાવાનો ભય
RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ
RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ
Rajkot : અક્ષયતૃતિયાના દિવસે સોની વેપારીઓની ખાસ સ્કીમ
Rajkot : અક્ષયતૃતિયાના દિવસે સોની વેપારીઓની ખાસ સ્કીમ
રાજ્યમાં CID ક્રાઇમના દરોડા, કરોડો રુપિયા રોકડા મળ્યા, જુઓ Video
રાજ્યમાં CID ક્રાઇમના દરોડા, કરોડો રુપિયા રોકડા મળ્યા, જુઓ Video
NEETની પરીક્ષામાં ચોરી કેસમાં વડોદરાની રોય ઓવરસીઝમાં કરાયુ સર્ચ
NEETની પરીક્ષામાં ચોરી કેસમાં વડોદરાની રોય ઓવરસીઝમાં કરાયુ સર્ચ
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">