Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનુ કહ્યુ હતુ.

Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો
Anil Deshmukh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 3:38 PM

Maharashtra:  મહારાષ્ટ્રની એક વિશેષ અદાલતે CBI ને 100 કરોડની ખંડણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું(Anil Deshmukh)  નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અનિલ દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

કોર્ટના વિશેષ ન્યાયાધીશ આર એન રોકડેએ સોમવારે તપાસ એજન્સી CBI ને આર્થર રોડ જેલમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવવુ રહ્યુ કે, દેશમુખ હાલ આર્થર જેલમાં બંધ છે.

જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે

3 માર્ચથી CBI અધિકારીને અનિલ દેશમુખને મળવાની મંજૂરી આપવામાં આવી છે.સીબીઆઈના અધિકારીઓ આગામી ત્રણ દિવસ સુધી તેમને મળી શકે છે. જો કે સીબીઆઈ અધિકારીઓ એકલા દેશમુખનું નિવેદન નોંધશે નહીં. અધિકારીઓ આર્થર રોડ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પૂર્વ પોલીસ કમિશનરે આક્ષેપ કર્યો હતો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કહ્યુ હતુ. જો કે દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા છે.પરમબીર સિંહે CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આક્ષેપો કર્યા હતા. જે બાદ ફરિયાદના આ પત્ર સાથે એડવોકેટ જયશ્રી પાટીલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.હાલ એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે જો તેમની તપાસમાં કંઈક સામે આવે તો FIR પણ નોંધાઈ શકે છે.

બરતરફ કરાયેલા પોલીસકર્મીને એન્ટિલિયા કેસમાં જામીન મળ્યા નથી

મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે બરતરફ કરાયેલા પોલીસકર્મી રિયાઝુદ્દીન કાઝીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કાઝીએ ગયા વર્ષે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક એક વાહનમાં વિસ્ફોટકો મળવા અને મનસુખ હિરેનની હત્યામાં તેની કથિત ભૂમિકાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : NCB Team: આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હતું, તે તેના નેટવર્કનો ભાગ નહોતો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">