AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈના સાકીનાકામાં હાર્ડવેરની દુકાનમાં આગ, બેનાં મોત

મુંબઈ : સોમવારે વહેલી સવારે મુંબઈના સાકીનાકામાં હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગમાં બે લોકોના મોત થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક આવેલી દુકાનમાં સવારે લગભગ 2 વાગ્યે આગ લાગી હતી.

Breaking News: મુંબઈના સાકીનાકામાં હાર્ડવેરની દુકાનમાં આગ, બેનાં મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:11 PM
Share

મુંબઈ : સોમવારે વહેલી સવારે મુંબઈના સાકીનાકામાં હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગમાં બે લોકોના મોત થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક આવેલી દુકાનમાં સવારે લગભગ 2 વાગ્યે આગ લાગી હતી. અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં કેટલાક લોકો દુકાનની અંદર ફસાયા હોવાની આશંકા હતી. મહારાષ્ટ્ર સમાચાર અહીં વાંચો.

માહિતી મળતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, ‘ઓપરેશન દરમિયાન 22 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયેલો મળી આવ્યો હતો જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે જ સમયે, અન્ય 23 વર્ષીય યુવકને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ દુકાનમાંથી બહાર કાઢ્યો હતો અને ઘાટકોપર વિસ્તારની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વીર સાવરકર મુદ્દે ઉદ્ધવ જૂથનું કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ, ખડગેની બેઠકમાં હાજર ન થવાનો કર્યો નિર્ણય

તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આઠ કલાકથી વધુ સમય બાદ સવારે 10.45 કલાકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આગ દુકાન સુધી સીમિત હતી. જો કે દુકાનમાં રાખેલ વીજ વસ્તુઓ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.

તેણે જણાવ્યું કે સામાનનો ઉપરનો ભાગ પડી જવાને કારણે દુકાનની અંદર જવું મુશ્કેલ બની રહ્યું છે. આ પછી, મશીનની મદદથી દુકાનનો આગળનો ભાગ ખોદવામાં આવ્યો અને પછી બચાવકર્મીઓ અંદર જઈ શક્યા.

Follow Us
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
g clip-path="url(#clip0_868_265)">