AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો

વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતી તેમની આ રન ફોર યુનિટીના છેલ્લા ચરણમાં તા.21મી ઓગસ્ટના રોજ વડોદરાના 15 મેરેથોન રનર્સ કેવડિયા જઈને તેમની સાથે જોડાશે.

બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો
Bollywood Actor milind soman launched run for unity from mumbai to the statue of unity
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:54 PM
Share

ભારતીય ફિલ્મ જગત બોલીવુડના જાણીતા અદાકાર,નામાંકિત મોડેલ અને પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિન્દ સોમણે(Milind Soman)  મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોક થી કેવડિયા – સ્ટેચ્યુ ઓફ યુનિટી( Statue Of India) સુધીની રાષ્ટ્રીય એકતા દોડનો પ્રારંભ કર્યો છે.

વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતી તેમની આ રન ફોર યુનિટી(Run For Unity) ના છેલ્લા ચરણમાં તા.21મી ઓગસ્ટના રોજ વડોદરાના 15 મેરેથોન રનર્સ કેવડિયા જઈને તેમની સાથે જોડાશે.

મિલિન્દ સોમણ તા.૨૧ મી ના રોજ પ્રતાપ નગરથી નર્મદા જિલ્લામાં પ્રવેશી સ્ટેચ્યુ ખાતે જશે. તે સમયે વડોદરા મેરેથોનના  પ્રણવ રાય અને 15 ધાવકોનું જૂથ તેમની સાથે 25 કિલોમીટર દોડી તેમનું આગવી રીતે સ્વાગત કરશે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાના તેમના ધ્યેયને પીઠબળ આપશે.

પીએમ મોદીએ રજવાડાં જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર સાહેબને સાર્થક અંજલિ આપવા,વિશ્વમાં અજોડ ગણાય તેવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – સરદાર પ્રતિમાનું કેવડીયામાં નિર્માણ કરાવ્યું છે.ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એકતા નો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે જેમાં મહાનુભાવો અને લોકો ઉત્સાહભેર જોડાયાં છે.

તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન સોમણે એકતા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવા કર્યું છે.રાજ્ય સરકારે માર્ગમાં આવતા પ્રત્યેક જિલ્લાના પ્રવેશ સ્થળે એકતા માટેના ધાવક શ્રી સોમણ નું ઉષ્માભર્યું સ્વાગત કરવાનું આયોજન કર્યું છે.

દોડના અંતિમ ચરણમાં તેમની સાથે દોડનારા વડોદરા મેરેથોનના દોડવીરોમાં હિના,પ્રદીપ, સચિન, પૂજા,પ્રજ્ઞેશ,સ્વપ્નિલ, નિશીથ, નિકી જોશી, અલ્તાફ પઠાણ, અમન પટેલ,રાજેન્દ્ર સિંઘ,નરેન્દ્ર ડોગરા, અજય તિવારી, નિકુંજ ખોખરીયા અને પવન રાય નો સમાવેશ થાય છે તેમ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી વિજય પટણીએ જણાવ્યું છે.

આ પણ વાંચો :  Health Tips : આંખોની રોશની વધારવા તમારા ડાયટમાં સામેલ કરો આ જ્યૂસ

આ પણ વાંચો : Surat માં હવે કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ આગળ વધી, બીજી 100 બસ લાઈનમાં

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">