AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : આંખોની રોશની વધારવા તમારા ડાયટમાં સામેલ કરો આ જ્યૂસ

ખરાબ જીવનશૈલી અને આહારની તમારી દ્રષ્ટિ પર ખરાબ અસર પડે છે. તમારી દ્રષ્ટિ સુધારવા માટે તમે વિવિધ જ્યુસનું સેવન કરી શકો છો.

Health Tips : આંખોની રોશની વધારવા તમારા ડાયટમાં સામેલ કરો આ જ્યૂસ
સાંકેતિક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 6:48 PM
Share

Health Tips : આજના વ્યસ્ત જીવનમાં આપણે આપણી આંખોના સ્વાસ્થ્યને અવગણીએ છીએ. લાંબા સમય સુધી સ્ક્રીન પર જોવાથી આપણી આંખો પર ખરાબ અસર પડે છે. આ દરમિયાન, દ્રષ્ટિ નબળી થવા લાગે છે. આવી સ્થિતિમાં, આપણે ન ઈચ્છીએ તો પણ ચશ્મા પહેરવા જરૂરી બની જાય છે.   અત્યારે બાળકો બહાર રમવા કરતાં મોબાઈલ અને વિડીયો ગેમ્સ પર વધુ સમય પસાર કરી રહ્યા છે, જેના કારણે નાની ઉંમરે બાળકોની દૃષ્ટિ ઘટી જાય છે.

આવી સ્થિતિમાં, તંદુરસ્ત આહાર મોટી ભૂમિકા ભજવે છે. આ માટે તમે લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે ખાઇ શકો છો.આ સિવાય તમે ડાયટમાં પણ ઘણા પ્રકારના જ્યુસ સામેલ કરી શકો છો. તેમાં કેરોટેનૉયડ્સ અને એન્ટીઑકિસડન્ટ છે જે મેક્યુલાને સ્વસ્થ રાખે છેઆવો તમને જણાવો કે તમે દૃષ્ટિ માટે કયા જ્યુસનું સેવન કરી શકો છો.

ગાજરનુ જ્યૂસ : ગાજરનુ જ્યૂસ દ્રષ્ટિ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરમાં વિટામિન એ હોય છે જે દ્રષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે. ગાજરનુ જ્યૂસ પીવાથી દ્રષ્ટિ સુધરે છે. આ તમને ખૂબ જ જલ્દી આંખના ચશ્માથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. જો તમે ઈચ્છો તો, તમે ગાજરનો રસ ટમેટાના રસમાં પણ ઉમેરી શકો છો.

પાલકનુ જ્યૂસ :  લીલા પાંદડાવાળા શાકભાજી આંખોની રોશની વધારવામાં પણ મદદ કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજી માત્ર આંખો માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને પાલકનુ  જ્યૂસ ખૂબ જ હેલ્ધી છે. જો તમે દરરોજ તમારા આહારમાં એક ગ્લાસ પાલકનુ જ્યૂસ  સામેલ કરો છો, તો તમારી દ્રષ્ટિ ધીમે ધીમે સુધરવા લાગશે. પાલક વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને આયર્નથી સમૃદ્ધ છે.

આમળાનુ જ્યૂસ  :  આમળાનું જ્યૂસ  આંખોની રોશની વધારવા માટે ખૂબ મદદરૂપ થાય છે. આમળામાં વિટામિન સી હોય છે જે આંખો માટે ફાયદાકારક છે. તમે આમળાનો ઉપયોગ કોઈપણ રીતે કરી શકો છો. જો તમે ઈચ્છો તો કાચા આમળા પણ ખાઈ શકો છો. તમે આમળા જામ અથવા કેન્ડી પણ બનાવી શકો છો. આ રસ રોશની વધારવા માટે ખૂબ જ અસરકારક છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચોIron Rich Foods: આયર્નથી ભરપુર આ ખોરાકને આહારમાં સામેલ કરો, શરીર માટે છે સૌથી વધુ જરૂરી

આ પણ વાંચોદહીં ખાંડ સાથે ભેળવીને ખાવું જોઈએ કે મીઠા સાથે? ફાયદા અને નુક્સાન જાણીને તમે પણ બદલી દેશો રીત

 

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">