AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ભાજપના આ ધારાસભ્યને મારી નાખવાની મળી ધમકી, ગૃહ પ્રધાનને પત્ર લખી તપાસની કરી માંગ

ધારાસભ્ય શેલારે મુંબઈ પોલીસ કમિશનરને જણાવ્યુ કે, તેને અને તેના પરિવારને અજાણ્યા વ્યક્તિ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

Maharashtra : ભાજપના આ ધારાસભ્યને મારી નાખવાની મળી ધમકી, ગૃહ પ્રધાનને પત્ર લખી તપાસની કરી માંગ
Ashish Shelar received threats call
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 4:46 PM
Share

Maharashtra :  ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ શેલારે (Ashish Shelar) મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને મુંબઈ પોલીસ કમિશનરને (Mumbai Police Commissioner) પત્ર લખીને દાવો કર્યો છે કે તેમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, એક પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે.

પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી

બાંદ્રા (પશ્ચિમ)ના ધારાસભ્યએ તેમના પત્રમા લખ્યુ છે કે, ફોન કરનારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને અને તેમના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. રાજ્યના પૂર્વ મંત્રી શેલારે જે બે ફોન નંબર પરથી તેમને ધમકી આપવામાં આવી હતી તેની વિગતો પણ આપી છે અને પત્રમાં તેણે પોલીસને (Mumbai Police)  જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યુ છે.જો કે અધિકારીએ શેલારને કયા કારણોસર ધમકી મળી તે અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis)  શનિવારે નાગપુરમાં જણાવ્યુ હતુ કે શેલાર રાજ્યમાં ચાલી રહેલા “ભ્રષ્ટાચાર” વિશે અવાજ ઉઠાવતા જોવા મળે છે.જેથી આ ધમકી પાછળ શાસક પક્ષનો હાત હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી

ભાજપના નેતા આશિષ શેલારનું કહેવું છે કે તેમને અને તેના પરિવારજનો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, શેલારને બે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી એક અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ આવ્યો હતો જેમાં શેલાર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ફોન કોલમાં તેણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

ધારાસભ્યએ SIT તપાસની માંગ કરી

BMC પ્રશાસન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજ 3800 મિલિયન લિટર પાણી સપ્લાય કરવાનો દાવો કરે છે, તેમ છતાં ઘણા વિસ્તારોમાં ટેન્કર માફિયા સક્રિય છે. આ ટેન્કર માફિયાઓ સામે પગલાં લેવા શેલારે દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના 18,000 કરોડના પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત તેમણે આ માટે SIT તપાસની પણ માંગ કરી છે.

આ પણ વાંચો : Mumbai : ‘ગાંજો પીને ભ્રમ ન ફેલાવો’, લોકડાઉનને લઈને મેયરે વિપક્ષી નેતાઓ પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">