AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘નો વેક્સિન, નો ફાસ્ટફૂડ’: મહારાષ્ટ્રમાં નિયમો કડક કરવા અંગે આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત

તરૂણોને અપીલ કરતા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે 'જો તરૂણો સુરક્ષિત રહેવા ઈચ્છતા હોય તો રસીકરણ કરાવે, ઉપરાંત જો તમારે બર્ગર અને પિઝા ખાવા હશે તો પણ રસીકરણ કરાવવુ જરૂરી છે.'

'નો વેક્સિન, નો ફાસ્ટફૂડ': મહારાષ્ટ્રમાં નિયમો કડક કરવા અંગે આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત
Health Minister Rajesh Tope (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 2:43 PM
Share

Maharashtra: મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો કહેર (Covid 19) જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં 40 હજારથી વધુ કોરોના કેસ (Corona Case) નોંધાયા છે. જેમાં માત્ર મુંબઈમાં જ 20 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા રસીકરણ (Vaccination) ખુબ જરૂરી છે.

કોરોનાના વધતા સંક્રમણને પગલે કડક પ્રતિબંધો

બીજી તરફ રાજ્યમાં કોરોના વધતા સંક્રમણને પગલે કડક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. તેમજ પોલીસને પણ આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે લોકો કોરોના નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તેમની સામે કેસ નોંધવા પણ તંત્રએ આદેશ કર્યા છે. વધતા કોરોના સંક્રમણને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ 15થી 18 વર્ષની વયના યુવાનોને રસીકરણ માટે ઉત્સાહ દાખવવા અપીલ કરી છે.

રાજેશ ટોપેએ (Rajesh Tope) કહ્યું ‘રસીકરણથી સારો કોઈ વિકલ્પ નથી. રાજ્યમાં ત્રીજા લહેરની (Third Wave) આશંકા વચ્ચે આ શ્રેષ્ઠ ઉપાય છે. કોરોનાના ત્રીજી લહેરને રોકવા માટે આગામી દિવસોમાં નિયમો વધુ કડક કરવામાં આવશે અને તેનું ચુસ્તપણે પાલન કરવા પણ નિદર્શ કરવામાં આવશે.

આ શહેરોમાં બેકાબુ બન્યો કોરોના

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પૂણેમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. તેથી આ શહેરોમાં કોરોના અને ઓમિક્રોનના (Omicron Case) જોખમને ધ્યાનમાં રાખીને શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં શાળાઓ બંધ કરવામાં આવી નથી. જો કે સંક્રમણ વધુ ફેલાશે તો બાકીના શહેરોમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ કરવા અંગે રાજ્યના આરોગ્ય પ્રઘાન રાજેશ ટોપેએ સંકેત આપ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે સમયાંતરે કોરોના સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો મુખ્યમંત્રી (CM Uddhav Thackeray) દ્વારા નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે. જેથી રાજેશ ટોપેએ નાગરિકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરો, ઘરે આવ્યા પછી તમારા હાથ સાબુથી સારી રીતે ધોવા. જો તમને કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચો : શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">