AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘નો વેક્સિન, નો ફાસ્ટફૂડ’: મહારાષ્ટ્રમાં નિયમો કડક કરવા અંગે આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત

તરૂણોને અપીલ કરતા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે 'જો તરૂણો સુરક્ષિત રહેવા ઈચ્છતા હોય તો રસીકરણ કરાવે, ઉપરાંત જો તમારે બર્ગર અને પિઝા ખાવા હશે તો પણ રસીકરણ કરાવવુ જરૂરી છે.'

'નો વેક્સિન, નો ફાસ્ટફૂડ': મહારાષ્ટ્રમાં નિયમો કડક કરવા અંગે આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત
Health Minister Rajesh Tope (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 2:43 PM
Share

Maharashtra: મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો કહેર (Covid 19) જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં 40 હજારથી વધુ કોરોના કેસ (Corona Case) નોંધાયા છે. જેમાં માત્ર મુંબઈમાં જ 20 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા રસીકરણ (Vaccination) ખુબ જરૂરી છે.

કોરોનાના વધતા સંક્રમણને પગલે કડક પ્રતિબંધો

બીજી તરફ રાજ્યમાં કોરોના વધતા સંક્રમણને પગલે કડક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. તેમજ પોલીસને પણ આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે લોકો કોરોના નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તેમની સામે કેસ નોંધવા પણ તંત્રએ આદેશ કર્યા છે. વધતા કોરોના સંક્રમણને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ 15થી 18 વર્ષની વયના યુવાનોને રસીકરણ માટે ઉત્સાહ દાખવવા અપીલ કરી છે.

રાજેશ ટોપેએ (Rajesh Tope) કહ્યું ‘રસીકરણથી સારો કોઈ વિકલ્પ નથી. રાજ્યમાં ત્રીજા લહેરની (Third Wave) આશંકા વચ્ચે આ શ્રેષ્ઠ ઉપાય છે. કોરોનાના ત્રીજી લહેરને રોકવા માટે આગામી દિવસોમાં નિયમો વધુ કડક કરવામાં આવશે અને તેનું ચુસ્તપણે પાલન કરવા પણ નિદર્શ કરવામાં આવશે.

આ શહેરોમાં બેકાબુ બન્યો કોરોના

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પૂણેમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. તેથી આ શહેરોમાં કોરોના અને ઓમિક્રોનના (Omicron Case) જોખમને ધ્યાનમાં રાખીને શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં શાળાઓ બંધ કરવામાં આવી નથી. જો કે સંક્રમણ વધુ ફેલાશે તો બાકીના શહેરોમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ કરવા અંગે રાજ્યના આરોગ્ય પ્રઘાન રાજેશ ટોપેએ સંકેત આપ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે સમયાંતરે કોરોના સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો મુખ્યમંત્રી (CM Uddhav Thackeray) દ્વારા નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે. જેથી રાજેશ ટોપેએ નાગરિકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરો, ઘરે આવ્યા પછી તમારા હાથ સાબુથી સારી રીતે ધોવા. જો તમને કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચો : શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">