AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ભાજપ કાઉન્સિલરે BMC સ્કૂલોમાં ગીતા ભણાવવાની કરી માંગ, SP નેતાઓએ ગણાવી રણનિતી

BJP કાઉન્સિલર યોગિતા કોલીએ જણાવ્યુ કે, આવનારી પેઢીમાં યોગ્ય રીતે નૈતિક મૂલ્યો કેળવવા માટે હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો પબ્લિક સ્કૂલોમાં ભણાવવા જોઈએ.

Mumbai : ભાજપ કાઉન્સિલરે BMC સ્કૂલોમાં ગીતા ભણાવવાની કરી માંગ, SP નેતાઓએ ગણાવી રણનિતી
BJP Councilor demanded to teach GITA in bmc schools
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:29 PM
Share

Maharashtra : મુંબઈના BJP કાઉન્સિલરે BMC (Bombay Municipal Corporation) સંચાલિત સ્કૂલોમાં ભગવદ ગીતા (Bhagavad Gita) ભણાવવાની માંગ કરી છે.BJP કાઉન્સિલર યોગિતા કોલીએ ગુરુવારે કહ્યુ હતુ કે, આવનારી પેઢીમાં યોગ્ય રીતે નૈતિક મૂલ્યો કેળવવા માટે હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો પબ્લિક સ્કૂલોમાં ભણાવવા જોઈએ.

તમને જણાવી દઈએ કે, યોગીતા કોલીએ આ અંગે મેયરને પત્ર પણ લખ્યો હતો. ભાજપ કાઉન્સિલર કોલી BMCની મહિલા અને બાળ કલ્યાણ સમિતિ અને જાહેર આરોગ્ય સમિતિના સભ્ય પણ છે. બીજી તરફ યોગીતા કોલીએ મેયરને લખેલા પત્ર બાદ વિરોધ શરૂ થયો છે. સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે વિરોધ કર્યો છે.

સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે તેનો સખત વિરોધ કર્યો

યોગીતા કોલીએ પત્રમાં માંગ કરી હતી કે, BMCની સ્કૂલમાં ભગવત ગીતા ભણાવવી જોઈએ. આ સાથે તેણે BMCની સામાન્ય સભામાં પણ આ સૂચના લાવવા અંગે પણ જણાવ્યુ છે. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે તેનો સખત વિરોધ કર્યો છે. રઈસ શેખે મેયર કિશોરી પેડનેકરને પત્ર લખીને આ મામલે ભાજપની નોટિસને રદ કરવાની માંગ કરી છે.

BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનો આ એજન્ડા

શેખે મેયરને પત્ર લખીને ભાજપની આ માંગને ફગાવી દેવા જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે, BMC ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણના હેતુથી આ માંગણી કરવામાં આવી છે. જે ભાજપનો એજન્ડા છે. તેમણે મેયરનું એ તરફ પણ ધ્યાન દોર્યું છે કે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે BMCની બેઠકમાં ધાર્મિક શિક્ષણ માટે કોઈ પ્રસ્તાવ લાવવામાં નહીં આવે.

ભગવદ ગીતા જીવનની માર્ગદર્શક

ભાજપના કાઉન્સિલર યોગીતા કોલીએ પોતાના પત્રમાં ભગવત ગીતાનું શું મહત્વ છે તે જણાવ્યું છે. તેણે લખ્યું છે કે ‘ભગવદ કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં અર્જુનને ભગવદ ગીતાનો ગ્રંથ યુદ્ધના મેદાનમાં સંભળાવ્યો હતો. આજે પણ કોર્ટમાં ગીતા પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું એક અલગ અને મહત્વનું સ્થાન છે. તેને જીવનનો માર્ગદર્શક પણ કહેવામાં આવે છે.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, BMCમાં સત્તામાં રહેલી અને હિન્દુત્વનો એજન્ડા ન છોડવાનો દાવો કરતી શિવસેના ભાજપના આ મુદ્દાને સમર્થન આપશે કે કેમ?.

આ પણ વાંચો: Maharashtra: CM ના બંગલાને લઈને રાજકારણ તેજ, શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા પર લગાવ્યો ગંભીર આરોપ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">