Mumbai : ભાજપ કાઉન્સિલરે BMC સ્કૂલોમાં ગીતા ભણાવવાની કરી માંગ, SP નેતાઓએ ગણાવી રણનિતી

BJP કાઉન્સિલર યોગિતા કોલીએ જણાવ્યુ કે, આવનારી પેઢીમાં યોગ્ય રીતે નૈતિક મૂલ્યો કેળવવા માટે હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો પબ્લિક સ્કૂલોમાં ભણાવવા જોઈએ.

Mumbai : ભાજપ કાઉન્સિલરે BMC સ્કૂલોમાં ગીતા ભણાવવાની કરી માંગ, SP નેતાઓએ ગણાવી રણનિતી
BJP Councilor demanded to teach GITA in bmc schools
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:29 PM

Maharashtra : મુંબઈના BJP કાઉન્સિલરે BMC (Bombay Municipal Corporation) સંચાલિત સ્કૂલોમાં ભગવદ ગીતા (Bhagavad Gita) ભણાવવાની માંગ કરી છે.BJP કાઉન્સિલર યોગિતા કોલીએ ગુરુવારે કહ્યુ હતુ કે, આવનારી પેઢીમાં યોગ્ય રીતે નૈતિક મૂલ્યો કેળવવા માટે હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો પબ્લિક સ્કૂલોમાં ભણાવવા જોઈએ.

તમને જણાવી દઈએ કે, યોગીતા કોલીએ આ અંગે મેયરને પત્ર પણ લખ્યો હતો. ભાજપ કાઉન્સિલર કોલી BMCની મહિલા અને બાળ કલ્યાણ સમિતિ અને જાહેર આરોગ્ય સમિતિના સભ્ય પણ છે. બીજી તરફ યોગીતા કોલીએ મેયરને લખેલા પત્ર બાદ વિરોધ શરૂ થયો છે. સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે વિરોધ કર્યો છે.

સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે તેનો સખત વિરોધ કર્યો

યોગીતા કોલીએ પત્રમાં માંગ કરી હતી કે, BMCની સ્કૂલમાં ભગવત ગીતા ભણાવવી જોઈએ. આ સાથે તેણે BMCની સામાન્ય સભામાં પણ આ સૂચના લાવવા અંગે પણ જણાવ્યુ છે. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે તેનો સખત વિરોધ કર્યો છે. રઈસ શેખે મેયર કિશોરી પેડનેકરને પત્ર લખીને આ મામલે ભાજપની નોટિસને રદ કરવાની માંગ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનો આ એજન્ડા

શેખે મેયરને પત્ર લખીને ભાજપની આ માંગને ફગાવી દેવા જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે, BMC ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણના હેતુથી આ માંગણી કરવામાં આવી છે. જે ભાજપનો એજન્ડા છે. તેમણે મેયરનું એ તરફ પણ ધ્યાન દોર્યું છે કે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે BMCની બેઠકમાં ધાર્મિક શિક્ષણ માટે કોઈ પ્રસ્તાવ લાવવામાં નહીં આવે.

ભગવદ ગીતા જીવનની માર્ગદર્શક

ભાજપના કાઉન્સિલર યોગીતા કોલીએ પોતાના પત્રમાં ભગવત ગીતાનું શું મહત્વ છે તે જણાવ્યું છે. તેણે લખ્યું છે કે ‘ભગવદ કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં અર્જુનને ભગવદ ગીતાનો ગ્રંથ યુદ્ધના મેદાનમાં સંભળાવ્યો હતો. આજે પણ કોર્ટમાં ગીતા પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું એક અલગ અને મહત્વનું સ્થાન છે. તેને જીવનનો માર્ગદર્શક પણ કહેવામાં આવે છે.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, BMCમાં સત્તામાં રહેલી અને હિન્દુત્વનો એજન્ડા ન છોડવાનો દાવો કરતી શિવસેના ભાજપના આ મુદ્દાને સમર્થન આપશે કે કેમ?.

આ પણ વાંચો: Maharashtra: CM ના બંગલાને લઈને રાજકારણ તેજ, શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા પર લગાવ્યો ગંભીર આરોપ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">