AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લખીમપુર ઘટનાની તુલના જલિયાંવાલા બાગ સાથે કરવા પર અજીતના સંબંધીઓ પર પાડવામાં આવ્યા દરોડા, શરદ પવારે સાધ્યુ ભાજપ પર નિશાન

સોલાપુરમાં પાર્ટીની એક બેઠકને સંબોધતા પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું દેશના લોકોને સ્વતંત્ર રીતે તેમના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર નથી.

લખીમપુર ઘટનાની તુલના જલિયાંવાલા બાગ સાથે કરવા પર અજીતના સંબંધીઓ પર પાડવામાં આવ્યા દરોડા, શરદ પવારે સાધ્યુ ભાજપ પર નિશાન
NCP નેતા શરદ પવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:46 PM
Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar) શુક્રવારે ફરી એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરીની ઘટનાની તુલના બ્રિટિશ ભારતના જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે કરવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ના સંબંધીઓ અને સહયોગીઓ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા.

સોલાપુરમાં પાર્ટીની એક બેઠકને સંબોધતા પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું દેશના લોકોને સ્વતંત્ર રીતે તેમના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું, આવકવેરા વિભાગના દરોડા એટલા માટે પડ્યા છે કારણ કે મેં લખીમપુર ખીરી હિંસાની સરખામણી જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે કરી હતી. શું આપણને લોકશાહીમાં આપણા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર નથી?

લખીમપુર હિંસામાં થયા આઠ લોકોના મોત 

આવકવેરા વિભાગે ગુરુવારે અજીત પવારના પરિવારના સભ્યો સાથે જોડાયેલા વ્યવસાયો અને કેટલાક રિયલ એસ્ટેટ બિઝનેસમેન પર દરોડા પાડ્યા હતા અને કરચોરીનો આરોપ લગાવ્યો હતો. મંગળવારે પવારે લખીમપુર હિંસાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવી અને કહ્યું કે લોકો ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવશે. લખીમપુર હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારને અસ્થિર કરવા માટે કોઈ કસર છોડી રહી નથી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને કેન્દ્રીય ફંડમાં યોગ્ય હિસ્સો મળતો નથી.

એક સાથે લડવાથી વધુ સારા પરિણામો મળશે

પવારે કહ્યું કે આપણે ભારતીય જનતા પાર્ટીને આપણા માર્ગ પરથી દૂર કરવી પડશે. સ્થાનિક સંસ્થા વિભાગની તાજેતરની ચૂંટણીમાં એમવીએ સાથીઓએ 70 ટકા બેઠકો જીતી છે. ત્રણેય પક્ષોએ આ ચૂંટણી અલગથી લડી હતી. મારા મનમાં કોઈ શંકા નથી કે જો સાથે મળીને લડીશું તો આપણને વધુ સારા પરિણામો મળશે. હવે આપણે નક્કી કરવાનું છે કે ભવિષ્યની ચૂંટણી કેવી રીતે લડવી.”

11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધ રહેશે

પવારે ભારતીય જનતા પાર્ટી પર “ખેડૂત વિરોધી” હોવાનું અને “સત્તાનો દુરુપયોગ” કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 11 ઓક્ટોબરે સંપૂર્ણ મહારાષ્ટ્ર બંધનું આયોજન કરવામાં આવશે અને તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે આયોજિત થવું જોઈએ.

તેમણે કહ્યું, “આવશ્યક સેવાઓ સિવાય કશું જ ખુલ્લું ન હોવું જોઈએ.” મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે લખીમપુર ખીરી હિંસામાં ખેડૂતોના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો, જ્યારે શાસક ગઠબંધને આ ઘટનાના વિરોધમાં 11 ઓક્ટોબરે અહીં બંધનું એલાન આપ્યું છે.

આ પણ વાંચો :  મુંબઈ પોલીસે મહિલા સુરક્ષા પર કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયાઓ

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">