AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : આ મંત્રીના સરકારી આવાસ પર કોરોના વિસ્ફોટ, 22 કર્મચારી સંક્રમિત થતા ખળભળાટ

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલના સરકારી આવાસમાં 22 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. એક સાથે આટલા લોકો સંક્રમિત થતા હાલ તંત્ર દોડતુ થયુ છે.

Maharashtra : આ મંત્રીના સરકારી આવાસ પર કોરોના વિસ્ફોટ, 22 કર્મચારી સંક્રમિત થતા ખળભળાટ
Chhagan Bhujbal (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 1:03 PM
Share

Maharashtra: કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ (Corona) માથુ ઉંચક્યુ છે. મહારાષ્ટ્રમાં (Corona Case in Mahrashtra) પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. એક બાદ એક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલના (Chhagan Bhujbal) સરકારી આવાસમાં 22 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. એક સાથે આટલા લોકો સંક્રમિત થતાં હાલ તંત્ર દોડતુ થયુ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાઈરસના 40,925 નવા કેસ નોંધાયા છે. આ સાથે 20 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે રાજ્યમાં 14,256 લોકોએ કોરોનાને માત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં 1,41,492 સક્રિય કેસ (Active Cases) છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 65,47,410 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 95.8 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દર 2.07 ટકા નોંધાયો છે.

જો કે રાહતની વાત એ છે કે શુક્રવારે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જો મુંબઈની વાત કરીએ તો શુક્રવારે મુંબઈમાં કોરોના વાઈરસના 20,971 નવા કેસ નોંધાયા છે. આ સાથે 6 લોકોના મોત નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે મુંબઈમાં 8,490 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. હાલ શહેરમાં 91,731 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં પણ કોરોનાનો કહેર યથાવત

મુંબઈમાં અત્યાર સુધીમાં 8,74,780 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 7,64,053 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે કોરોનાથી 16,394 દર્દીઓના મોત થયા છે. હાલ શહેરમાં6 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર આવ્યા છે. આ સાથે 123 બિલ્ડીંગ પણ સીલ કરવામાં આવી છે.

સામાન્ય લોકોની સાથે મુંબઈ પોલીસ પર પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 93 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. તે જ સમયે અત્યાર સુધીમાં કુલ 9,657 મુંબઈ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે હાલ રાજ્યમાં વધતા કેસને જોતો ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.

આ પણ વાંચો : શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">