Maharashtra: કલ્યાણની આધારવાડી જેલમાં રહેલા 20 કેદીઓને કોરોના, થાણેની હોસ્પિટલમાં કરાયા દાખલ

કોરોનાને કારણે બહારથી આવેલા કેદીઓને આધારવાડી જેલથી અલગ રાખવામાં આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણ ઘટવાનું શરૂ થયું, ત્યારે ડોન બોસ્કો સ્કૂલમાં રાખવામાં આવેલા આ કેદીઓને આધારવાડી જેલમાં લાવવામાં આવ્યા. આ દરમિયાન જ્યારે આ કેદીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે 20 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

Maharashtra: કલ્યાણની આધારવાડી જેલમાં રહેલા 20 કેદીઓને કોરોના, થાણેની હોસ્પિટલમાં કરાયા દાખલ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 5:32 PM

મહારાષ્ટ્રના કલ્યાણ સ્થિત આધારવાડી જેલમાં 20 કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ મળેલા આ કેદીઓને થાણે સિવિલ હોસ્પિટલમાં (Thane civil hospital) દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ પહેલા પણ એપ્રિલમાં, અહીં લગભગ 30 કેદીઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા.

કોરોનાને કારણે બહારથી આવેલા કેદીઓને આધારવાડી જેલથી અલગ રાખવામાં આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણ ઘટવાનું શરૂ થયું, ત્યારે ડોન બોસ્કો સ્કૂલમાં રાખવામાં આવેલા આ કેદીઓને આધારવાડી જેલમાં લાવવામાં આવ્યા. આ દરમિયાન જ્યારે આ કેદીઓનો RT PCR ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે 20 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ કેદીઓમાં કોરોના સંક્રમણ કેવી રીતે લાગુ પડ્યું તે જાણી શકાયું નથી

મુખ્ય જેલની બહાર એટલે કે ડોન બોસ્કો સ્કૂલમાં રાખવામાં આવેલા આ 20 કેદીઓમાં કોરોના કેવી રીતે અને ક્યાં થયો તેની માહિતી મળી નથી. જેલ અધિક્ષક અંકુશ સદાફુલેના જણાવ્યા અનુસાર તેમને બે દિવસ પહેલા થાણે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. રિકવરી બાદ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવશે. ક્વોરન્ટાઈનની અવધિ પૂર્ણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1,715 નવા કેસ નોંધાયા છે. આ રીતે રાજ્યમાં કુલ 65,91,697 કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 29 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 1,39,789 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2,680 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. એટલે કે અત્યાર સુધીમાં 64,19,678 લોકો આ મહામારીમાંથી સાજા થયા છે.

રાજ્યમાં કોરોના રિકવરી રેટ 97.39 ટકા અને ડેથ રેશિયો 2.12 ટકા છે. રવિવારે 1,10,465 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,10,20,463 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં મહારાષ્ટ્રમાં 28,631 સક્રિય કેસ છે. મુંબઈની વાત કરીએ તો રવિવારે કોરોનાથી એક પણ મોત થયું નથી, પરંતુ 366 નવા કેસ નોંધાયા છે. બીજી બાજુ જો આપણે મુંબઈને અડીને આવેલા થાણેની વાત કરીએ તો 182 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : જમ્મુ-કશ્મીરની સ્થિતિને લઈને સંજય રાઉતનું મોટુ નિવેદન, કહ્યુ “પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર”

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">