AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો

કેદારનાથ માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ઉત્તરાખંડ સરકાર અને IRCTC વચ્ચે એક એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે.

Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 11:55 AM
Share

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ હવે IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ નહીં થાય. જે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ કેદારનાથ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરી શકશે. અત્યાર સુધી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ પવન હંસ દ્વારા થતું હતું.

હેલિપેડ પર એરપોર્ટ જેવી સિસ્ટમ હશે. હેલિપેડ પર પ્રવેશતા પહેલા ટિકિટનો QR કોડ સ્કેન કરવામાં આવશે અને પછી બોર્ડિંગ પાસ આપવામાં આવશે. ટિકિટ બુકિંગ માટે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અને IRCTC વચ્ચે એક એમઓયુ પર સાયન કરવામાં આવ્યા છે. બુધવારે સચિવાલય ખાતે ઉકાડાના સીઇઓ સી. રવિશંકર અને આઇઆરસીટીસીના ડાયરેક્ટર જનરલ સુનીલ કુમારે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

ટિકિટનું બુકિંગ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે

IRCTC એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ટિકિટ બુકિંગ માટે પોર્ટલ ખોલશે. 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા હશે, પરંતુ તેના માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકાય છે. ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બુક કરી શકાય છે. આ બુકિંગ 1લી એપ્રિલથી શરૂ થશે.

ચાર ધામ યાત્રા માટે 6 લાખ નોંધણી

ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 6 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે દર્શન માટે ભક્તો માટે ખુલશે.

ભગવાન બદ્રીનાથ અને કેદારનાથની ઓનલાઈન પૂજા માટે ટૂંક સમયમાં બુકિંગ શરૂ થશે

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથ અને કેદારનાથની પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવશે. આ માટે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીકેટીસીનું ડિજીટાઈઝેશન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. BKTCના પ્રમુખ અજેન્દ્ર અજય કહે છે કે ITનો ઉપયોગ વિસ્તારવામાં આવી રહ્યો છે. જેથી ભક્તોના દર્શન અને દાન આપવાની વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી શકાય.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">