AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો

કેદારનાથ માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ઉત્તરાખંડ સરકાર અને IRCTC વચ્ચે એક એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે.

Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 11:55 AM
Share

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ હવે IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ નહીં થાય. જે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ કેદારનાથ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરી શકશે. અત્યાર સુધી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ પવન હંસ દ્વારા થતું હતું.

હેલિપેડ પર એરપોર્ટ જેવી સિસ્ટમ હશે. હેલિપેડ પર પ્રવેશતા પહેલા ટિકિટનો QR કોડ સ્કેન કરવામાં આવશે અને પછી બોર્ડિંગ પાસ આપવામાં આવશે. ટિકિટ બુકિંગ માટે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અને IRCTC વચ્ચે એક એમઓયુ પર સાયન કરવામાં આવ્યા છે. બુધવારે સચિવાલય ખાતે ઉકાડાના સીઇઓ સી. રવિશંકર અને આઇઆરસીટીસીના ડાયરેક્ટર જનરલ સુનીલ કુમારે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

ટિકિટનું બુકિંગ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે

IRCTC એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ટિકિટ બુકિંગ માટે પોર્ટલ ખોલશે. 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા હશે, પરંતુ તેના માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકાય છે. ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બુક કરી શકાય છે. આ બુકિંગ 1લી એપ્રિલથી શરૂ થશે.

ચાર ધામ યાત્રા માટે 6 લાખ નોંધણી

ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 6 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે દર્શન માટે ભક્તો માટે ખુલશે.

ભગવાન બદ્રીનાથ અને કેદારનાથની ઓનલાઈન પૂજા માટે ટૂંક સમયમાં બુકિંગ શરૂ થશે

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથ અને કેદારનાથની પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવશે. આ માટે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીકેટીસીનું ડિજીટાઈઝેશન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. BKTCના પ્રમુખ અજેન્દ્ર અજય કહે છે કે ITનો ઉપયોગ વિસ્તારવામાં આવી રહ્યો છે. જેથી ભક્તોના દર્શન અને દાન આપવાની વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી શકાય.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">