AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package : માતા-પિતાને કરાવો 17 દિવસની રામાયણ યાત્રા, જાણો આ ટૂર પેકેજ વિશે

આઈઆરસીટીસી પ્રવાસીઓ માટે દેશ અને વિદેશ માટે ટુર પેકજ રજુ કરે છે. આ ટુર પેકેજ દ્વારા ટુરિઝમને પ્રોત્સાહન મળે છે અને ટુરિસ્ટ સસ્તામાં યાત્રા કરે છે. હવે આઈઆરસીટીસીએ 17 દિવસનું રામાયણ યાત્રાનું ટુર પેકેજ લોન્ચ કર્યું છે. ચાલો વિગતે જાણીએ.

IRCTC Tour Package :  માતા-પિતાને કરાવો 17 દિવસની રામાયણ યાત્રા, જાણો આ ટૂર પેકેજ વિશે
| Updated on: Oct 17, 2024 | 2:54 PM
Share

IRCTCએ યાત્રિકો માટે શ્રી રામાયણ યાત્રા ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ ટુર પેકેજમાં યાત્રિકો ભારત ગૌરવ ડિલેક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં યાત્રા કરશે. આ ટુર પેકેજની શરુઆત 96,475 રુપિયાથી થાય છે. આઈઆરસીટીસીના આ ટુર પેકેજની શરુઆત દિલ્હીથી થશે. જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છે. તેમજ તમારા પરિવારમાં માતા-પિતાને રામાયણ યાત્રાના ટુર પેકેજમાં મોકલવા માંગો છો. તો તમારે આ પેકેજ દિલ્હીથી બુક કરવાનું રહેશે. એટલે કે, આના માટે તમારે દિલ્હી તમારા ખર્ચે જવાનું રહેશે. દિલ્હીથી તમે આ ટુર પેકેજનો લાભ ઉઠાવી શકશો.

આ ટુર પેકેજ 16 રાત અને 17 દિવસનું છે

આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બકસર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક હમ્પી અને રામેશ્વર દર્શન કરી શકશો. આ ટુર પેકેજનું બુકિંગ તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ કરી શકો છો. આ ટુર પેકેજની શરુઆત 28 નવેમ્બરથી શરુ થશે. ટુર પેકેજમાં કુલ 150 સીટ છે. એસી 1 કૂપમાં 20 સીટ છે. એસી 1 કેબિનમાં કુલ 39 સીટ છે. એસી 2માં કુલ 36 સીટ છે અને એસી 3માં કુલ 56 સીટ છે.

જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિએ એસી કેબિનમાં 162310 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. જો તમે એસીમાં યાત્રા કરવા માંગો છો 2 લોકો સાથે ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમારે 146875 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. તેમજ આ ટુર પેકેજમાં એસી, નોન એસીના અલગ અલગ ચાર્જ છે.આ યાત્રા દેશભરના અનેક રાજ્યોમાંથી પસાર થશે.

માતા પિતાને આ લાંબી યાત્રા કરાવો

IRCTCના આ ટુર પેકેજથી યાત્રિકો ભગવાન રામ અને સીતા માતા સાથે જોડાયેલા તમામ સ્થળોએ દર્શન કરી શકશે. જેની શરુઆત 28 નવેમ્બરથી થશે. તમને જણાવી દઈએ કે, આ ટુર પેકેજ 16 રાત અને 17 દિવસનું છે. જો કોઈ તેમના માતા પિતાને આ લાંબી યાત્રા કરાવવા માંગે છો. તો આ ટુર પેકેજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ બુક કરી શકો છો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">