AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાભારતનો ભયાનક શ્રાપ, જેને કળિયુગમાં આજે પણ ભોગવી રહ્યા છે લોકો!

મહાભારતના યુદ્ધમાં કર્ણના મૃત્યુ બાદ જ્યારે કુંતીએ તે પાંડવોનો જ્યેષ્ઠ ભાઈ હોવાનું રહસ્ય ખોલ્યું, ત્યારે પશ્ચાતાપ અને ક્રોધમાં આવીને યુધિષ્ઠિરે સમગ્ર નારી જાતિને શ્રાપ આપ્યો હતો કે તેઓ ક્યારેય કોઈ રહસ્ય પોતાના મનમાં છુપાવી નહીં શકે.

મહાભારતનો ભયાનક શ્રાપ, જેને કળિયુગમાં આજે પણ ભોગવી રહ્યા છે લોકો!
| Updated on: Sep 11, 2026 | 11:23 AM
Share

આ વાત તમે પણ ક્યારેક ને ક્યારેક મજાકમાં જરૂર સાંભળી હશે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓને લઈને આ માન્યતા માત્ર આજના સમયની મજાક નથી? તેની પાછળ સદીઓ જૂની એક પૌરાણિક કથા જણાવવામાં આવે છે. એવું કહેવાય છે કે એક સમયે મહિલાઓને એવો શ્રાપ મળ્યો હતો, જેના કારણે તેઓ કોઈ પણ રહસ્ય પોતાના મનમા લાંબા સમય સુધી રાખી શકતી નથી. શું ખરેખર આવો કોઈ શ્રાપ હતો? જો હતો તો આખરે મહિલાઓને જ આ શ્રાપ કેમ મળ્યો?

વાસ્તવમાં આ વાતના મૂળ મહાભારતના એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગમાં છુપાયેલા છે. આ વાર્તા મહાભારતના યુદ્ધ પછી સામે આવેલા તે રહસ્યની છે, જેણે પાંચેય પાંડવોની દુનિયા બદલી નાખી હતી. એક એવું રહસ્ય, જેને તેમની માતા કુંતીએ આખી જિંદગી પોતાના મનમાં દબાવીને રાખ્યું હતું. જ્યારે યુધિષ્ઠિરને આ રહસ્યની ખબર પડી ત્યારે તેમનો ક્રોધ અને પશ્ચાતાપ એટલો વધી ગયો કે તેમણે મહિલાઓને લઈને એક શ્રાપ આપી દીધો.

જે વ્યક્તિને તમે આખી જિંદગી પોતાના સૌથી મોટા શત્રુ માનતા રહ્યા, જેની સામે ભીષણ યુદ્ધ લડ્યા અને જેના મૃત્યુ માટે ખુદ જવાબદાર બન્યા, જો અચાનક ખબર પડે કે તે તમારો જ સગો મોટો ભાઈ હતો, તો મનની સ્થિતિ કેવી થાય? પાંડવો સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. જે કર્ણને તેઓ જીવનભર હરીફ માનતા રહ્યા, તે જ તેમનો જ્યેષ્ઠ ભાઈ નીકળ્યો. પરંતુ આ સત્ય તેમને ત્યારે ખબર પડી જ્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

કોણ હતો કર્ણ?

કર્ણ દુર્યોધનનો સૌથી પ્રિય મિત્ર હતો અને મહાભારતના યુદ્ધમાં તેણે કૌરવો તરફથી લડાઈ કરી હતી. તે અદભુત યોદ્ધા હતો, પરંતુ પોતાના જન્મના રહસ્યને કારણે તેને જીવનભર અપમાનો સહન કરવા પડ્યા હતા. તેને વારંવાર ‘સૂત-પુત્ર’ કહીને ઉતારી પાડવામાં આવતો હતો.

હસ્તિનાપુરના સિંહાસનને લઈને કૌરવો અને પાંડવો વચ્ચે વિવાદ સતત વધતો ગયો. દુર્યોધન કોઈપણ ભોગે પાંડવોને તેમનો અધિકાર આપવા તૈયાર નહોતો. ત્યારબાદ ચોપાટની તે રમત રમાઈ, જેમાં પાંડવો પોતાનું રાજ્ય, સંપત્તિ અને દ્રૌપદીને પણ હારી ગયા. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થયું અને કુરુક્ષેત્રમાં 18 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, જેમાં અસંખ્ય યોદ્ધાઓ માર્યા ગયા. અંતે પાંડવોનો વિજય થયો, પરંતુ તેની મોટી કિંમત ચૂકવવી પડી.

કર્ણના મૃત્યુ બાદ સામે આવ્યું રહસ્ય

યુદ્ધના 17મા દિવસે કર્ણ અર્જુનના હાથે વીરગતિ પામ્યો. માતા કુંતીને જ્યારે કર્ણના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ પોતાને રોકી ન શક્યા અને રડતાં રડતાં કુરુક્ષેત્રની રણભૂમિમાં કર્ણના પાર્થિવ દેહ પાસે પહોંચ્યા.

કુંતી કર્ણ પાસે બેસીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમના આંસુઓમાં માત્ર એક મહાન યોદ્ધાના મૃત્યુનું દુઃખ નહોતું, પરંતુ એક લાચાર માતાની વેદના પણ હતી. તે જ સમયે પાંચેય પાંડવો અને શ્રીકૃષ્ણ પણ ત્યાં પહોંચ્યા. જેને તેઓ પોતાનો સૌથી મોટો શત્રુ માનતા હતા, તેના મૃત્યુ પર માતા કુંતીને આટલો વિલાપ કરતા જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.

કર્ણ હતો પાંડવોનો મોટો ભાઈ

પુત્રોના પૂછવા પર માતા કુંતીએ જણાવ્યું કે કર્ણ બીજું કોઈ નહીં, પણ તેમનો જ સગો જ્યેષ્ઠ પુત્ર અને પાંચેય પાંડવોનો મોટો ભાઈ હતો. આ સત્ય સાંભળીને પાંડવોના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે ભાઈ સામે તેઓ લડ્યા, તેના જ મૃત્યુ માટે તેઓ પોતે કારણ બન્યા હતા. યુધિષ્ઠિરે માતાને પૂછ્યું કે તેમણે આટલી મોટી વાત આજ સુધી કેમ છુપાવી રાખી? કુંતી પાસે તે સમયે માત્ર આંસુ સિવાય કોઈ જવાબ નહોતો.

યુદ્ધ પહેલાં કુંતી અને કર્ણની મુલાકાત

યુદ્ધ શરૂ થતાં પહેલાં કુંતી કર્ણ પાસે ગયા હતા અને જણાવ્યું હતું કે તે તેમનો જ પુત્ર છે. કુંતીએ કર્ણને પાંડવો સાથે મળી જવાની વિનંતી કરી હતી. પરંતુ કર્ણે કહ્યું હતું કે, “તમે મને જન્મ જરૂર આપ્યો, પરંતુ મારું પાલન-પોષણ રાધા અને અધિરથે કર્યું છે. જ્યારે આખી દુનિયા મારું અપમાન કરતી હતી, ત્યારે દુર્યોધને મને સન્માન આપ્યું હતું. તેથી હું યુદ્ધમાં તેનો સાથ નહીં છોડી શકું.” કર્ણે પાંડવો સામે યુદ્ધ કરવાનો નિર્ણય ન બદલ્યો.

યુધિષ્ઠિરે સ્ત્રીઓને કેમ આપ્યો શ્રાપ?

જ્યારે આ સત્ય સામે આવ્યું ત્યારે યુધિષ્ઠિરનો ક્રોધ અને પશ્ચાતાપ ચરમસીમાએ પહોંચી ગયો. તેમને એ વાતનો અફસોસ હતો કે જો કર્ણના જન્મનું રહસ્ય પહેલેથી ખબર હોત, તો આ મહાવિનાશ કદાચ ટળી શક્યો હોત.

કથા અનુસાર, આ આઘાત અને ક્રોધમાં આવીને યુધિષ્ઠિરે માતા કુંતી સહિત સમગ્ર નારી જાતિને શ્રાપ આપ્યો કે, “હવેથી કોઈ પણ સ્ત્રી પોતાના મનમાં કોઈ રહસ્ય લાંબા સમય સુધી છુપાવીને રાખી શકશે નહીં.”

પૌરાણિક માન્યતા અનુસાર આ પ્રસંગને તે કહેવત સાથે જોડવામાં આવે છે. જોકે, આ એક પૌરાણિક કથા છે અને તેને ધાર્મિક-સાંસ્કૃતિક સંદર્ભ તરીકે જ જોવી જોઈએ, કોઈ વૈજ્ઞાનિક સત્ય તરીકે નહીં. આ કથા એ બાબતનો બોધ કરાવે છે કે કોઈ મહત્વપૂર્ણ સત્યને છુપાવી રાખવાથી ભવિષ્યમાં કેવા ગંભીર પરિણામો આવી શકે છે.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

અજીબોગરીબ કિસ્સો : વ્યક્તિની દાઢમાં ઊગી નીકળ્યો જામફળનો છોડ, ડેન્ટિસ્ટ પણ ચોંકી ગયા !

Follow Us
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">