Lifestyle: લગ્નના વર્ષો વીત્યા પછી પણ સંબંધને રાખો આ રીતે તરોતાજા
. જરૂરી નથી કે દરેક વખતે તમે તમારા પાર્ટનરને માત્ર મોંઘી ગિફ્ટ આપીને જ તમારા પ્રેમનો અહેસાસ કરાવો. જો તમે અચાનક તેને ગુલાબ પણ લાવશો તો તમારો પાર્ટનર તેનાથી ખૂબ જ ખુશ થશે.
જ્યારે કોઈ કપલના (Couple) નવા લગ્ન હોય છે ત્યારે બંને એકબીજાને પૂરો સમય આપે છે. સુંદર ક્ષણોની યાદો બનાવે. પરંતુ જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ જવાબદારીઓનો (Responsibility ) બોજ એટલો વધી જાય છે કે એકબીજા પર સંપૂર્ણ ધ્યાન આપવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત તમારા પાર્ટનરના (Life Partner ) મનમાં વિચાર આવે છે કે હવે તમે તેને બહુ પ્રેમ નથી કરતા.
જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે અથવા તમે તમારા શરમાળ સ્વભાવને કારણે તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરી શકતા નથી, તો અહીં જાણો એવી સરળ રીતો જેના દ્વારા તમારો પ્રેમ તેમની સામે ખૂબ જ સરળતાથી પ્રગટ થઈ જશે.
આ 5 રીતો સંબંધોને સુધારી શકે છે
1. જરૂરી નથી કે દરેક વખતે તમે તમારા પાર્ટનરને માત્ર મોંઘી ગિફ્ટ આપીને જ તમારા પ્રેમનો અહેસાસ કરાવો. જો તમે અચાનક તેને ગુલાબ પણ લાવશો તો તમારો પાર્ટનર તેનાથી ખૂબ જ ખુશ થશે અને આ ગુલાબ તમારા સંબંધમાં નવી ઉર્જા ભરી દેશે.
2. જો તમે અને તમારો પાર્ટનર બંને કામ કરતા હોય તો દરરોજ ઓફિસથી આવ્યા પછી તમારા પાર્ટનર સાથે થોડો ક્વોલિટી ટાઈમ વિતાવો. આ માટે ઇવનિંગ વોક શ્રેષ્ઠ માર્ગ છે. આ સમય દરમિયાન તમારા ફોનમાં ફસાશો નહીં. તેનો હાથ લો અને થોડાં પગલાંઓ ચાલો. તેમને પૂરો સમય આપો અને તમારા દિવસની બધી બાબતો કહો. તેનાથી તમારો પ્રેમ પણ વ્યક્ત થશે અને સંબંધ મજબૂત થશે.
3. તમે તમારા જીવનસાથી સાથે તમારા ઘરની જવાબદારીઓ પણ શેર કરો. જો તમારી પત્ની નોકરી કરતી હોય, અને કામના સ્થળેથી પાછા ફર્યા પછી, તે ઘરની જવાબદારીઓ પણ સંભાળે છે તો જો તમે તેને ટેકો આપો છો તો તેને ખૂબ સારું લાગશે. તેઓ અનુભવશે કે તમે તેમની કેટલી કાળજી રાખો છો અને તમે તેમને કેટલો પ્રેમ કરો છો.
4. તમારો પાર્ટનર તમારા માટે ઘણું કરે છે, પરંતુ અમે ક્યારેય તેને થેંક્યુ નથી કહ્યું કારણ કે આપણા મનમાં એક વાત હોય છે કે આ તેનું કામ છે પણ એવું ન હોવું જોઈએ. જો તે સંપૂર્ણ સમર્પણ સાથે તમારી ખુશીનું ધ્યાન રાખે છે તો સમયાંતરે આભાર કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
5. ઘણી વખત આપણે જાણતા-અજાણતા ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે પાર્ટનરનું મન પણ દુ:ખી થઈ જાય છે. આવી સ્થિતિમાં સોરી કહેવાથી તમે નાના નહીં બની શકો. જો તમારાથી ભૂલ થઈ હોય તો તમારી ભૂલ સ્વીકારી લો અને સોરી કહેતા શીખો. તેનાથી તમારો સંબંધ સારો થશે અને તમારા પાર્ટનરની નારાજગી પણ દૂર થશે.
આ પણ વાંચો : Health In Winter : શિયાળાની રાત્રે ગરમ કપડાં પહેરીને સુઈ જવાથી પણ થઇ શકે છે નુકશાન ?
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા તમે તમારા મનોચિકિત્સક અથવા નિષ્ણાંત મિત્રની સલાહ લઇ શકો છો )
જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.