Lifestyle : ઘરને પોઝિટિવ ઉર્જા આપતા મંદિરની વ્યવસ્થાને લઈ પ્રશ્ન છે તો વાંચો આ પોસ્ટ અને જાણો સાચી રીત
ઘરમાં મંદિર એક સકારાત્મક ઉર્જા આપે છે. ત્યારે મંદિરનું સ્થાન અને દિશા કઈ રાખવી, તેમજ તેને કેવી રીતે સજાવવું તે આજે અમે તમને બતાવીશું.
ઘરમાં નાનું પણ સુંદર અને કલાત્મક મંદિર ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે. દરેકના ઘરોમાં ભગવાન માટે એક અલગ સ્થાનક બનાવવામાં આવે છે. ઘરની અંદર બનાવવામાં આવેલું મંદિર વ્યક્તિને માનસિક શાંતિ આપે છે. ઘરના મંદિરમાં થતી પૂજાઆરતીથી ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ રહે છે. જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા હોવ તો તે પ્રમાણે પણ મંદિર મૂકી શકો છો.
અલગ જગ્યાની વ્યવસ્થા જો તમારું ઘર મોટું હોય અને જો સારી સ્પેશ હોય તો મંદિર માટે એક અલગ રૂમ જરાખવો. જો અલગ રૂમ રાખી શકાય તેવું ન હોય તો મંદિરની જગ્યા અલગ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઘરમાં મંદિર યોગ્ય દિશામાં હોય તે પણ ધ્યાન રાખવું જોઈએ..આ ઉપરાંત મંદિર શેમાંથી બનેલું છે તે બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ.મંદિરની રચના પણતમારા ભાગ્ય માટે કારણભૂત બની શકે છે. મંદિરમાં આસ્થાનો માહોલ જળવાઈ રહે તે માટે બને હોય ત્યાં સુધી મંદિરની જગ્યા ઘરમાં થોડી અલગ હોય એ જરૂરી છે. જયારે તમને માનસિક શાંતિની જરૂર લાગે ત્યારે અલગ ખૂણામાં આવેલા મંદિરમાં થોડો સમય રહેવાથી કે પછી ત્યાં ધ્યાન ધરવાથી ફાયદો મળે છે.
લાકડાનું મંદિર લાકડામાંથી બનેલું મંદિર પ્રભુની સ્થાપના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારી ઈચ્છા હોય તો આરસપહાણ નું મંદિર પણ લઈ શકો છે. મંદિર લાકડાનું હોય કે આરસપહાણ નું પણ સમયાંતરે તેની સફાઈ થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
મંદિરનો કલર ઘરના મંદિરનો કલર લાઈટ પીળો, અથવા ઓરેન્જ રંગનો જ રાખવો. જ્યાં મંદિર મૂક્યુ છે તે દીવાલનો રંગ સફેદ અથવા પીળો રાખવો. મંદિરની સ્થાપના માટે ઈશાન ખૂણામાં કરવી જોઈએ. એટલે કે બને ત્યાં સુધી ઈશાન ખૂણામાં જ મંદિરની સ્થાપના કરવી. જો તેવું ન થાય તો પૂર્વ દિશામાં પણ મંદિર મૂકવું ફળદાયી બનશે.
પૂરતી લાઈટ વાળું વાતાવરણ જરૂરી મંદિરમાં સૂર્યપ્રકાશ આવે એ જરૂરી છે. કારણ કે અંધારામાં રહેલું મંદિર જીવનમાં પણ અંધારપટ્ટ લાવી શકે છે. મંદિરની દિશા, મંદિરની રચના અને યોગ્ય રંગ તમારા જીવનમાં પણ ઉમંગ લાવશે.
પૂજાનો સમય સવાર અથવા સાંજે બેમાંથી એક જ સમય પર પૂજા અર્ચનાનો સમય બનાવો. સાંજની પૂજામાં દીવોભૂલ્યા વગર પ્રગટાવો. દીવો પૂજા સ્થાનની વચ્ચે જરાખવો જોઈએ. પૂજા પહેલા થોડું કીર્તન કે મંત્રોચ્ચાર આખા ઘરનેપોઝિટિવ ઉર્જાથી ભરી દેશે. મંદિરચોખ્ખું રાખો અને ત્યાં એક લોટા માં પાણી ભરીને રાખો. તહેવારોમાં મંદિરને સજાવો અને પૂજામાં શંખનો પ્રયોગ હમેશા કરો.
આ પણ વાંચો :