AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળી સાંજને બનાવો ખાસ, આજે જ ટ્રાય કરો કેળાના પકોડાની રેસીપી

Banana Pakoda : કાચા કેળા સ્વાદ અને આરોગ્યથી ભરપૂર હોય છે. તમે તેને પકોડાના રૂપમાં પણ ખાઈ શકો છો. તેમને બનાવવું ખૂબ જ સરળ છે. આ પકોડા તમે સાંજની ચા સાથે માણી શકો છો.

શિયાળી સાંજને બનાવો ખાસ, આજે જ ટ્રાય કરો કેળાના પકોડાની રેસીપી
Raw Banana Pakora
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 7:01 PM
Share

શિયાળાની ઠંડક હોય અને ગમાગરમ પકોડાની વાત ન થાય તે તો કેમ બને, તેમ બેટાટાના પકોડા, ડુંગળીના પકોડા કે મરચાના પકોડા તો ખાધા જ હશે, પરંતુ કાચા કેળાના પકોડા પણ એટલા જ સ્વાદિષ્ટ રહે છે. એમાં પણ ગરમાગરમ ચા મળી જાય તો પછી…કંઈ ન ઘટે. વાંચીને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો રાહ શું જુઓ છો, વાંચી લો ફટાફટ રેસીપી અને તુરંત બનાવો પકોડા.

કાચા કેળાના પકોડાની રેસીપી

કેળા – 2

ચણાનો લોટ – 1 કપ

લાલ મરચું પાવડર – 1 ચમચી

હિંગ – 1/4 ચમચી

જીરું પાવડર – 1 ચમચી

સ્વાદ માટે મીઠું

પાણી અડધો કપ

કાચા કેળાના ભજિયા રેસીપી

સ્ટેપ – 1 સૌપ્રથમ કેળાને છોલી લો. તે પછી તેમને નાના ટુકડા કરી લો.

સ્ટેપ – 2 હવે બીજા બાઉલમાં લાલ મરચું પાવડર, ચણાનો લોટ, ધાણા પાવડર, મીઠું, હિંગ અને જીરું પાવડર નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 3 તેમાં પાણી ઉમેરો. તેનું જાડું દ્રાવણ તૈયાર કરો.

સ્ટેપ – 4 હવે તવાને આંચ પર રાખો. તેમાં તેલ નાખીને ગરમ કરો.

સ્ટેપ – 5 આ બેટરમાં કેળાના ટુકડા નાખો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 6 હવે આ મિશ્રણને થોડું-થોડું ગરમ ​​તેલમાં નાખો. પકોડા સોનેરી થાય ત્યાં સુધી તળો. હવે તેને તમારી પસંદગીની લીલી અથવા ચટણી સાથે સર્વ કરો.

કાચા કેળાના ફાયદા

કાચા કેળામાં વિટામિન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. કેળામાં રહેલા ફાઈબર તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે પાચન સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાચા કેળા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ડાયાબિટીક વિરોધી ગુણો છે. આ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કાચા કેળાનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

આનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેઓ કરચલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે તેનું નિયમિત સેવન પણ કરી શકો છો. તમે કાચા કેળાનું શાક તરીકે પણ સેવન કરી શકો છો. આ પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">