AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે યોગ કરતી વખતે આ ભૂલો ન કરો, નહીં તો ભોગવવું પડશે પરિણામ

બાબા રામદેવે યોગને લોકો સુધીમાં પહોંચાડવા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને યોગ પર તો પુસ્તકો પણ લખાયા છે. આ જ કારણ છે કે, આજકાલ યોગ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. જો કે, કેટલાક લોકો યોગ ખોટી રીતે કરે છે અને પછી પાછળથી નુકસાન ભોગવે છે. તો ચાલો જાણીએ કે, યોગ કરવાના સાચા નિયમો કયા છે જેનો ઉલ્લેખ બાબા રામદેવે તેમના પુસ્તકમાં કર્યો છે.

સવારે યોગ કરતી વખતે આ ભૂલો ન કરો, નહીં તો ભોગવવું પડશે પરિણામ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2025 | 4:28 PM
Share

બાબા રામદેવ ભારતના જાણીતા યોગ ગુરુ છે. બાબા રામદેવ માને છે કે, નિયમિત યોગ કરવાથી માત્ર રોગો સામે લડવાની શક્તિ નથી મળતી પરંતુ જીવનમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે. તેઓ એમ પણ કહે છે કે, યોગ ફક્ત યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય ભાવનાથી કરવામાં આવે તો જ તેના ફાયદા મળે છે.

બાબા રામદેવની એક પુસ્તક ‘યોગ ઇટ્સ ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ’માં યોગ કરવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે, આ પુસ્તકમાં યોગ કરવાના નિયમો શું કહેવામાં આવ્યું છે.

યોગ્ય સમય

બાબા રામદેવના પુસ્તક ‘યોગ ઇટ્સ ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ’માં કહેવામાં આવ્યું છે કે, સવારે અને સાંજે બંને સમયે યોગ કરવા જોઈએ. જો તમે ફક્ત એક જ સમયે યોગ કરવાનું ઈચ્છો છો તો સવારનો સમય તમારા માટે ઉત્તમ છે. આ સમયે યોગ કરવાથી મન અને શરીર બંનેને શાંતિ મળે છે. બીજીબાજુ સાંજે જમ્યાના 5-6 કલાક પછી યોગાસન કરવામાં આવે તો તે વધુ સારું.

યોગ્ય જગ્યા

યોગ કરવા માટે સ્વચ્છ, હરિયાળી અને ઘાસવાળી જગ્યા પસંદ કરો. આ ઉપરાંત, નદી કે પૂલ કિનારે પણ તમે યોગ કરી શકો છો. ખુલ્લી જગ્યામાં યોગ કરવાથી શરીરને સરસ ઓક્સિજન મળે છે.

યોગ્ય કપડાં પસંદ કરો

યોગ કરતી વખતે કપડાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પુરુષોએ હાફ પેન્ટ અને શોર્ટ્સ પહેરીને યોગ કરવા જોઈએ. યોગ માટે મહિલાઓ સલવાર-કુર્તા અને ટ્રેક સૂટ પહેરી શકે છે. આ કપડાં તમને યોગ કરતી વખતે આરામદાયક અનુભવ કરાવશે.

ખાવાનો યોગ્ય સમય

યોગ ગુરુ બાબા રામદેવના પુસ્તક મુજબ, યોગાસન કર્યાના અડધા કે એક કલાક પછી જ કંઈક ખાવું જોઈએ. યોગાસન કર્યા પછી, ચા પીવાનું પણ ટાળવું જોઈએ કારણ કે તે પાચનતંત્રને અસર કરે છે અને પછી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યા ઊભી થાય છે.

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

g clip-path="url(#clip0_868_265)">