AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર

ફાસ્ટ જીવનશૈલીમાં આપણા ચહેરા પર પણ એવી જ અસરો પડે છે. અમુક લોકોને તો 40 ની ઉંમરમાં જ ઘડપણની અસરો જોવા મળે છે. ચાલો તમને જણાવીએ આ અસરથી બચવાના ઉપાયો.

40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર
These five foods prevent the effects of your age on your face and make you healthier
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:12 AM
Share

આજકાલ લોકો બજારમાં વેચાતી તમામ બ્યુટી પ્રોડક્ટ્સ જોઈને આકર્ષિત થાય છે અને વિચારે છે કે આનાથી તેમની સુંદરતામાં વધારો કરશે. પરંતુ ઘણી વાર તેની અસર પણ જોવા નથી મળતી. આ રાસાયણિક ઉત્પાદનો તમને થોડા સમય માટે સુંદર બનાવી શકે છે, પરંતુ વાસ્તવિકતામાં નહીં. વાસ્તવિક સુંદરતા મેળવવા માટે તમારે ખરેખર તમારી જીવનશૈલી અને ખાવાની ટેવ સુધારવાની જરૂર છે.

સારો ખોરાક તમારા શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે, જેની અસર તમારી ત્વચા પર પણ દેખાય છે. જેના કારણે, કરચલીઓ અને વયની અસર તમારા ચહેરા પર લાંબા સમય સુધી દેખાતી નથી અને ત્વચા ખૂબ જ ચમકતી લાગે છે. અહીં આજે તમને આવી જ પાંચ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 40 વર્ષની વય પછી પણ, તમારા ચહેરા પર ઘડપણની અસર નહીં દેખાવા દે.

1- ગ્રીન ટી

સૌ પ્રથમ તમારે સવારની ચાને બાય બાય કહેવું પડશે. તેની જગ્યાએ એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી લેવાનું શરૂ કરો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ત્વચાની સુંદરતા જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. દરરોજ ઓછામાં ઓછી બે વખત ચાની જગ્યાએ ગ્રીન ટી પીવાની આદત રાખો. ચા અને કોફીને સંપૂર્ણપણે ના કહો.

2- ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર ખોરાક

એવી વસ્તુઓ આહારમાં લેવાની ટેવ રાખો જેમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ મળી આવે છે. જેમ કે અખરોટ, ફ્લેક્સસીડ, બદામ અને માછલી વગેરે. આ તમારા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે, તેમજ આ ખોરાક ત્વચાને કડક રાખે છે અને ઉંમરની અસરોને અટકાવે છે.

3- એવાકાડો અને ટામેટા

એવાકાડો એવ વિશેષ ફળ છે, જેમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે. આ ફળ તમને પોષણ આપવા સાથે લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદરૂપ બને છે. આ સિવાય ટામેટામાં લાઇકોપીન જોવા મળે છે, જે શરીરને વૃદ્ધત્વની અસરોથી બચાવે છે. તમે તેને સલાડના રૂપમાં ખાઈ શકો છો.

4- અંકુરિત અનાજ

દરરોજ નાસ્તામાં પુરી, પરાઠાને બદલે ફણગાવેલા મગ, ચણ, ઘઉં, સોયાબીન વગેરે ખાવાની ટેવ રાખો. તેનાથી શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર થાય છે. આ સાથે, ઘણા પ્રકારના વિટામિન્સ પણ ઉપલબ્ધ થાય છે જે ઘણી શારીરિક સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. તમારી ત્વચાને પણ સારી બનાવે છે. તમજ વધારે પ્રમાણમાં લીલી શાકભાજી જેવી કે દુધી, ટીંડા, પાલક, મેથી, સરગવો, કાકડી, ગાજર વગેરે આહારમાં લો. તે તમારા શરીરને શક્તિ આપશે અને ત્વચાને કુદરતી રીતે ગ્લો પણ આપશે.

5- દૂધ સાથે હળદર

રોજ સૂતા સમયે હળદરનું દૂધ પીઓ. એન્ટિબાયોટિક હોવા સાથે, હળદર ત્વચાની બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેના એન્ટીએજિંગ ગુણધર્મો ત્વચાને સ્વસ્થ રાખે છે અને ઉંમરની અસરોને પણ ઝડપથી આવવા દેતી નથી.

આ પણ વાંચો: Health Tips : અનિયમિત પીરિયડ્સ પાછળ ઘણા છે કારણો : છુટકારો મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: આ 4 કારણોથી થાય છે ફૂડ પોઇઝનિંગ, ચોમાસામાં સ્વાદનો ચટકો સ્વાસ્થ્ય બગાડી શકે છે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">