AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips : કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યામાંથી છુટકારો મેળવવા કામ લાગશે સફરજનનો ફેસ પેક

સફરજનથી બનેલો ફેસ પેક ચહેરા માટે ફાયદાકારક છે. ગ્લોઈંગ સ્કિન માટે ફેસ માસ્ક બનાવવા માટે 2 ચમચી છીણેલા સફરજનમાં 1 ચમચી તાજા દાડમનો રસ મિક્સ કરો. તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-એજિંગ ગુણધર્મો છે.

Beauty Tips : કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યામાંથી છુટકારો મેળવવા કામ લાગશે સફરજનનો ફેસ પેક
Apple face pack for all skin (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:44 AM
Share

સફરજન(Apple ) એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફળ (Fruit )છે. તેમાં વિટામિન સી, વિટામિન એ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો ત્વચા(Skin ) માટે ફાયદાકારક છે. વિટામિન સી કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. તે ત્વચાની કરચલીઓ દૂર રાખવામાં મદદ કરે છે. સફરજનમાં કોપરનું પ્રમાણ ત્વચામાં મેલાનિનનું ઉત્પાદન જાળવી રાખવામાં મદદ કરે છે. આ રીતે, તે ત્વચાને કુદરતી સનસ્ક્રીન પ્રદાન કરે છે. તમે સફરજનમાંથી ઘણા પ્રકારના ફેસ પેક તૈયાર કરી શકો છો.

તૈલી ત્વચા માટે એપલ ફેસ પેક

– એક બાઉલમાં એક નાની ચમચી છીણેલું સફરજન લો. તેમાં 1 ચમચી દહીં અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પેકને આખા ચહેરા પર લગાવો અને તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દહીંમાં લેક્ટિક એસિડનું પ્રમાણ ત્વચા માટે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. તે ચહેરા પરથી વધારાનું તેલ શોષવામાં પણ મદદ કરે છે.

શુષ્ક ત્વચા માટે એપલ ફેસ પેક

– એક બાઉલમાં એક નાની ચમચી છીણેલું સફરજન લો. તેમાં ગ્લિસરીનના થોડા ટીપા ઉમેરો. સ્મૂધ પેક બનાવવા માટે સારી રીતે મિક્સ કરો. તેને આખા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

ઇન્સ્ટન્ટ ગ્લો માટે એપલ ફેસ પેક

– સફરજનથી બનેલો ફેસ પેક ચહેરા માટે ફાયદાકારક છે. ગ્લોઈંગ સ્કિન માટે ફેસ માસ્ક બનાવવા માટે 2 ચમચી છીણેલા સફરજનમાં 1 ચમચી તાજા દાડમનો રસ મિક્સ કરો. તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-એજિંગ ગુણધર્મો છે.

ખીલના ઈલાજ માટે

– આ માટે અડધું સફરજન છીણીને તેમાં મધ મિક્સ કરો. અસરગ્રસ્ત વિસ્તારો પર પેસ્ટ લાગુ કરો, તેને 15 મિનિટ માટે છોડી દો અને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનો નિયમિત ઉપયોગ કરી શકો છો.

નેચરલ ક્લીન્સર

– સફરજનમાં હાજર કુદરતી એસિડ વ્હાઇટહેડ્સ, બ્લેકહેડ્સ અને તેલને દૂર કરે છે. તે ત્વચા પર ગ્લો લાવવાનું કામ કરે છે. આ માટે તમે 2 ચમચી દૂધમાં એક ચમચી સફરજનનો રસ અને મધ મિક્સ કરો. તમારા ચહેરા, ગરદનને મસાજ કરો અને નરમ અને ચમકતી ત્વચા મેળવવા માટે હુંફાળા પાણીથી ધોઈ લો.

નરમ અને ચમકતી ત્વચા માટે

– છીણેલા સફરજન સાથે બે ચમચી ઓટ્સ અને મધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને હૂંફાળા પાણીથી ધોઈ લો. ઓટમીલ તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે. સફરજન અને મધ ત્વચાને કોમળ અને ચમકદાર બનાવે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Heart Problem : હૃદય સબંધિત સમસ્યાઓ ઓળખતા પહેલા આ સંકેતોને જાણી લેવા જરૂરી

Yoga Poses : વાળની સુંદરતા વધારવા આ યોગાસનો નિયમિત કરો, ઘણી સમસ્યાઓ થશે દુર

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">