WHOના મહાનિર્દેશકની મોટી ચેતવણી, માત્ર વેક્સિન કોરોના ખત્મ નહીં કરી શકે, સાવધાની રાખવી ખુબ જરૂરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસને કહ્યું કે માત્ર વેક્સિનથી કોરોના મહામારી ખત્મ નહીં થાય. કોરોના વાઈરસનો પડકાર જીવન અને રોજગારીની વચ્ચે પડકાર નથી પણ એક જ લડાઈનો ભાગ છે. કોવિડ 19 મહામારીની શરૂઆતથી જ અમે જાણીએ છે કે મહામારીને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિન ખૂબ જ આવશ્યક હશે પણ એ વાત પણ સમજવાની રહેશે […]
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસને કહ્યું કે માત્ર વેક્સિનથી કોરોના મહામારી ખત્મ નહીં થાય. કોરોના વાઈરસનો પડકાર જીવન અને રોજગારીની વચ્ચે પડકાર નથી પણ એક જ લડાઈનો ભાગ છે. કોવિડ 19 મહામારીની શરૂઆતથી જ અમે જાણીએ છે કે મહામારીને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિન ખૂબ જ આવશ્યક હશે પણ એ વાત પણ સમજવાની રહેશે કે માત્ર એક વેક્સિન જ કોરોનાથી જીતવામાં સફળ સાબિત થશે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું કે દુનિયાભરની ઘણી કંપનીઓ દ્વારા વિકસિત કોરોના વાઈરસ વેક્સિન હાલમાં ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા ચરણમાં છે. તેમાં રશિયાની સ્પુતનિક વી, ભારત બાયોટેકની કોવેક્સીન અને ફાઈઝરની BNT162 mRNA આધારિત વેક્સિન સામેલ છે. માત્ર કોરોનાની એક ટીકો વેક્સિન મહામારીને ખત્મ નહીં કરી શકે. હાલમાં પણ તમામ સ્થિતીઓ પર નજર રાખવાની જરૂરિયાત છે. પરીક્ષણ, આઈસોલેશન અને કોરોનાના કેસ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. લોકોને સાવધાન રહેવાની જરૂર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો