AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: PM Modi ની 156 ગ્રામની મૂર્તિનો VIDEO વાયરલ, યુઝર્સ થયા ફીદા, કહ્યું કે લોકપ્રિયતામાં રજનીકાંત અને અમિતાભ પણ પાછળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિનો વાયરલ થયેલો વિડિયો ઘણા લોકો શેર કરી રહ્યા છે જેમાં કોમેન્ટસ મજેદાર આવી રહી છે. યુઝર્સ કહી રહ્યા છે કે મોટા મોટા કલાકારોની મીણની મૂર્તિ બને છે પણ મોદીજીની લોકપ્રિયતાને જોતા હને તેમની સોનાની મૂર્તિ બનવા લાગી છે.

Viral Video: PM Modi ની 156 ગ્રામની મૂર્તિનો VIDEO વાયરલ, યુઝર્સ થયા ફીદા, કહ્યું કે લોકપ્રિયતામાં રજનીકાંત અને અમિતાભ પણ પાછળ
VIDEO of PM Modi's 156 gram idol goes viralImage Credit source: Social Media
| Updated on: Jan 16, 2023 | 2:43 PM
Share

PM નરેન્દ્ર મોદી તેમની ફેશન સેન્સના કારણે તો ચર્ચામાં રહેતા જ હોય છે પણ તેમના ફેન્સ કઈંક એવુ કરતા રહે છે કે જેને લઈને તેમની ચર્ચા યથાવત રહે છે. આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ ચર્ચામાં છે. આ મૂર્તિનો વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયામાં યુઝર્સે કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે કે મોદીજીની લોકપ્રિયતાની સામે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાછળ રહી ગયા છે.

મોદીજીની સોનાની મૂર્તિનો વિડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિનો વિડિયો ટ્રેન્ડીંગમાં છે અને યુઝર્સને ઘણો પસંદ પણ આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુંબઈમાં બોમ્બે ગોલ્ડ એક્ઝિબિશન યોજાયુ હતું અને તેમાં મોદીજી ની 156 ગ્રામની મૂર્તિ ફરતી જોવા મળી હતી. એક્ઝિબિશનમાં આવનારા લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર તો હતી જ સાથે જ તેનો વિડિયો લઈને સોશિયલ મિડિયા પર અપલોડ કરાયા બાદ તે વાયરલ થઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેના પર કોમેન્ટ પણ આપવા લાગ્યા છે. ગોલ્ડના ક્ષેત્રમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમનું માનવું છે કે આ પ્રકારની મૂર્તિ બનાવવા માટે ઘણી માસ્ટરી હોવી જરૂરી છે. આ એક કલાત્મક વસ્તુ છે અને તેને બનાવવા માટે ઘણો સમય જોઈએ છે. વાયરલ વિડિયો વચ્ચે જો કે એ બહાર નથી આવ્યું કે આ મૂર્તિ બનાવનાર છે કોણ અને તેનું નામ શું છે ?

વાયરલ વિડિયોલ પર યુઝર્સ ફિદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિનો વાયરલ થયેલો વિડિયો ઘણા લોકો શેર કરી રહ્યા છે જેમાં કોમેન્ટસ મજેદાર આવી રહી છે. યુઝર્સ કહી રહ્યા છે કે મોટા મોટા કલાકારોની મીણની મૂર્તિ બને છે પણ મોદીજીની લોકપ્રિયતાને જોતા હને તેમની સોનાની મૂર્તિ બનવા લાગી છે. આ લોકપ્રિયતાને જોતા હવે લાગી રહ્યું છે કે રજનીકાંત અને અમિતાભ પણ તેમના કરતા પાછળ રહી ગયા છે.

અગાઉ મોદીજીની ચાંદીની મૂર્તિ વેચાઈ હતી

ધનતેરસ પર ઈન્દોરમાં એક બુલિયન શોપમાં મોદીજીની 150 ગ્રામ ચાંદીથી બનેલી આ મૂર્તિઓ 11 હજાર રૂપિયામાં વેચાઈ હતી. બુલિયન વેપારીએ મુંબઈથી મંગાવીને તેને બનાવી હતી. મૂર્તિઓ અલગ અલગ ચલણની અને પોશાક પહેરાવેલી હતી. ઈન્દોરના છોટા સરાફાના વેપારી નિર્મલ વર્મા જૂના રાજમોહલ્લાના રહેવાસી છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદીને આઇકોન માને છે. નિર્મલ બીજેપી મર્ચન્ટ સેલના પ્રમુખ પણ છે. તેઓ લાંબા સમયથી હર હર મોદી, ઘર ઘર મોદીના અભિયાનને આગળ ધપાવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">