Pakistan Video: જૂની કરન્સી નોટ આપવા પર પાકિસ્તાનમાં કંડક્ટરે પ્રોફેસરને માર્યો માર, જુઓ viral video
પાકિસ્તાનના કરાચીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રોફેસરે બસ કંડક્ટરને જૂની નોટ આપી. કંડક્ટરે તેને નોટ બદલવા કહ્યું. જ્યારે તેણે નોટ બદલવાની ના પાડી તો કંડક્ટરે અભદ્રતા શરૂ કરી અને પ્રોફેસરને માર માર્યો હતો.

પાકિસ્તાનમાં આર્થિક સંકટ લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. પાકિસ્તાનમાં લોકો પાસે પૈસા નથી. પરંતુ હવે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના કરાચીમાં યુનિવર્સિટીના પ્રોફેસરને બસ કંડક્ટરે માર માર્યો હતો. તેણે પ્રોફેસરને એટલો માર્યો કે તેને લોહી નીકળી ગયું હતું. પરંતુ આ બધુ બેંક નોટના કારણે થયું. વાસ્તવમાં પ્રોફેસરે કંડક્ટરને 10 રૂપિયાની જૂની નોટ આપી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.
માર મારનાર પ્રોફેસરનું નામ ડો. આતિફ છે, જે દાઉદ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં પ્રોફેસર છે. 10 રૂપિયાની જૂની નોટ આપવા બદલ લાલ બસ સેવાના ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, કંડક્ટર તેને સતત નોટ બદલવા માટે કહી રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પ્રોફેસરે એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે ક્લિફ્ટન સ્થિત પોતાના ઘરેથી યુનિવર્સિટી જઈ રહ્યો હતો. ત્યાર બાદ તેને ડ્રાઈવર અને કંડક્ટરે માર માર્યો હતો.
Check out CCTV what really happened in Red line Bus…
University professor beaten by Conductor of Red line Bus near Clifton.#karachi #Sindh #SindhGovt @sharjeelinam pic.twitter.com/C0yktIjYJF
— Salman Lodhi (@Salmanlodhi_85) February 7, 2023
પૈસા ના બદલી આપતા વિવાદ
પ્રોફેસરે કંડક્ટરને 10 રૂપિયાની નોટ આપી હતી. કંડક્ટરે તે નોટ પાછી આપી હતી અને નવીની માંગણી કરી હતી. આના પર પ્રોફેસરે કહ્યું કે તેમની પાસે બીજી નોટ નથી, જેના પછી કંડક્ટર ગુસ્સે થઈ ગયો. શરૂઆતમાં તો બંને વચ્ચે માત્ર શબ્દયુદ્ધ જ થયું હતું. પરંતુ બાદમાં ઝઘડો શરૂ થયો હતો. પ્રોફેસરનું નામ આતિફ જમીલ છે, જેણે આ મામલે પોલીસમાં કેસ દાખલ કર્યો છે.
જૂની મોટી નોટો બદલવામાં આવી છે
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ ડિસેમ્બર 2022ની શરૂઆતમાં કહ્યું હતું કે 31 ડિસેમ્બર, 2022 પછી પાકિસ્તાનમાં જૂની નોટો બદલી શકાશે નહીં. પાકિસ્તાનમાં 10, 50, 100 અને 1000 રૂપિયાની જૂની મોટી નોટો બદલવામાં આવી છે. કેન્દ્રીય બેંકે સંઘીય સરકારની મંજૂરીથી નોટબંધીનો નિર્ણય લીધો હતો. એસબીપીએ 11 જૂન, 2015ના રોજ નોટો બદલવાનો આદેશ આપ્યો હતો. તેની તારીખ સમયાંતરે વધતી રહી. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 સુધી જ હતી.