UAPA બિલ શું છે જેના લીધે સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થઈ રહ્યો છે?
UAPA બિલ પાસ થવાથી સંસદમાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ ગયું છે. કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે આ બિલ પાસ થયું છે અને ભાજપની મોટી સફળતા ગણવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલના સમર્થનમાં જવાબ આપતા કહ્યું કે અમારો ઉદ્દેશ્ય આતંકવાદની સાથે લડવાનો છે, આતંકવાદ વિરુદ્ધ એકજૂટતા આવશ્યક છે. Web […]
UAPA બિલ પાસ થવાથી સંસદમાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ ગયું છે. કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે આ બિલ પાસ થયું છે અને ભાજપની મોટી સફળતા ગણવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલના સમર્થનમાં જવાબ આપતા કહ્યું કે અમારો ઉદ્દેશ્ય આતંકવાદની સાથે લડવાનો છે, આતંકવાદ વિરુદ્ધ એકજૂટતા આવશ્યક છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : વડોદરામાં ‘વાસુદેવ’ બનીને બાળકને બચાવનારા પોલીસકર્મીએ કહ્યું ‘એ તો મારી ફરજ હતી’
બિલમાં શું પ્રાવધાન છે? જ્યારે આ બિલ કાયદામાં ફેરવાઈ જશે તો આતંકવાદીઓની સંપત્તિ સરળતાથી સરકાર જપ્ત કરી શકશે. તે માટે ડીજીપીની મંજૂરી લેવાની રહેશે. બીજી વાત આ બિલની ખાસ છે કે આ બિલ જો કાયદારુપે આવે તો વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાશે. પહેલાં માત્ર સંગઠનને જ આતંકવાદી જાહેર કરી શકાતું હતું.
આમ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને વધારે સતા મળી શકશે અને તે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે. સંસદમાં વિવાદ થયો હતો. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ભાજપ સરકાર આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવામાં સફળ રહી છે. વિપક્ષની એવી દલીલ છે કે આ બિલના લીધે વ્યક્તિનું સ્વાતંત્ર્ય જોખમાઈ છે અને સરકાર તેનો દૂરપયોગલ કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]