ભોજન પછી 10 ગ્રામ વરિયાળી ખાવાથી થશે આ ફાયદા
તહેવારોની સિઝનમાં સ્વાદિષ્ટ ભોજનની અધિક માત્રા બાદ અપચાની સમસ્યા સામાન્ય રીતે વધી જાય છે. તેવામાં તમે પાચનતંત્રને ઠીક રાખવા માટે ભોજન પછી વરિયાળી ખાવી જોઈએ. આવો તમને બતાવીએ કે ભોજન પછી વરિયાળી ખાવાના શું ફાયદા થાય છે. ભોજન કર્યાના ત્રીસ મિનિટ પછી વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે. Web Stories View more SBI પાસેથી 25 […]
તહેવારોની સિઝનમાં સ્વાદિષ્ટ ભોજનની અધિક માત્રા બાદ અપચાની સમસ્યા સામાન્ય રીતે વધી જાય છે. તેવામાં તમે પાચનતંત્રને ઠીક રાખવા માટે ભોજન પછી વરિયાળી ખાવી જોઈએ. આવો તમને બતાવીએ કે ભોજન પછી વરિયાળી ખાવાના શું ફાયદા થાય છે.
ભોજન કર્યાના ત્રીસ મિનિટ પછી વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે.
પાંચ છ ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને આંખોની રોશની સારી રહે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળી ખુબ જ ઉપયોગી છે. વગર તેલમાં તવા પર શેકેલી વરિયાળી અને વગર તળેલી વરિયાળીના મિશ્રણને ખાવાથી ફાયદો થાય છે.
બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને દિવસમાં બે-ત્રણ વાર લેવાથી અપચામાં અને કફની સમસ્યા દૂર થાય છે.
અસ્થમા અને ખાંસી નો ઉપચારમાં પણ વરિયાળીનું સેવન મદદ કરે છે. કફ અને ખાંસી થવા પર પણ વરિયાળી ખાવી ફાયદાકારક રહે છે.
ગોળની સાથે વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે.
બાળકોમાં પેટ અને પેટની સમસ્યા દૂર કરવામાં પણ તે ઉપયોગી છે. એક કપ પાણી ઉકળવા દો અને 20 મિનિટ સુધી તેને ઠંડા થવા દો તેનાથી બાળકને ફાયદો થાય છે. પણ યાદ રાખો બે ચમચી કરતા વધારે આ મિશ્રણ નહિ આપવું જોઈએ.
વરિયાળીના પાવડરને સાકર સાથે બરાબર મિક્સ કરીને ખાવાથી હાથ-પગની જલન દૂર થાય છે. ભોજન પછી ૧૦ ગ્રામ વરિયાળી ખાવી જોઈએ.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.
આ પણ વાંચોઃ ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો