શ્રીલંકાની ચીનને ફટકાર, કહ્યું- અમે અમારી જમીનને ભારતની સુરક્ષા માટે ખતરો નહીં બનવા દઈએ

નવી દિલ્લીમાં G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં શ્રીલંકાના વિદેશ મંત્રી એમ.યુ. એમ. અલી સાબરીએ ભારત-ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

શ્રીલંકાની ચીનને ફટકાર, કહ્યું- અમે અમારી જમીનને ભારતની સુરક્ષા માટે ખતરો નહીં બનવા દઈએ
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 2:09 PM

અલી સાબરીએ G20માં કહ્યું કે, શ્રીલંકા કોઈપણ દેશને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા હિતોની વિરુદ્ધ ટાપુનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. લાંબા સમયથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન ભારત વિરુદ્ધ શ્રીલંકાની જમીનનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાચો: G20: યુદ્ધને રોકવામાં તો વિશ્વ નિષ્ફળ રહ્યું પણ આતંકવાદ સામે એક થવું પડશે- PM MODI

હકીકતમાં, શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ચીને શ્રીલંકાને તેના દેવાની જાળમાં ફસાવી દીધું છે. ગયા વર્ષે હમ્બનટોટા બંદર પર ચીનનું જાસૂસી જહાજ ઉભુ રહેતા ભારતની ચિંતા વધી ગઈ હતી. દિલ્લી અને કોલંબોના સંબંધો પર તેની અસર થવાની સંભાવના હતી. જો કે શ્રીલંકાના વિદેશ મંત્રીના નિવેદનથી ભારત માટે એક સારા સમાચાર છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી

અલી સાબરીએ શ્રીલંકાને ઇતિહાસના સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરવામાં મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતે તેને લગભગ 4 બિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી, જેમાં ‘લાઈન ઓફ ક્રેડિટ’ (એક પ્રકારની ક્રેડિટ લોન) ખોરાક ખરીદવા માટે આપવામાં આવી હતી.

ભારતે સંસ્થાને ગેરંટી આપી હતી

એટલું જ નહીં, ભારતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી શ્રીલંકાને 2.9 બિલિયન યુએસ ડોલરની સહાય મેળવવા માટે સંસ્થાને ગેરંટી પણ આપી હતી. અલી સાબરીએ કહ્યું કે, હું ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને તેમની નવી દિલ્લીની સત્તાવાર મુલાકાત દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા હતા. અમે ફળદાયી દ્વિપક્ષીય વાતચીત કરી હતી અને ભારત-શ્રીલંકા સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

દિલ્લી સાથે નજીકથી કામ કરવાની સરકારની યોજનાઓ

વિદેશ મંત્રી એમ.યુ. એમ. અલી સાબરીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, આર્થિક સુધારાને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્લી સાથે નજીકથી કામ કરવાની સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી. હંબનટોટા બંદરે ચીનના જાસૂસી જહાજના આગમન બાદ ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં ખટાશની આશંકા અંગે તેમણે કહ્યું કે, જ્યારે તમે બે દેશો સાથે કામ કરો છો, એક પરિવારમાં વિચાર પણ મતભેદો હોય છે, વિવાદો ન હોય.

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">