મોદી સરકારની 10 ટકા સવર્ણ અનામતને વધુ એક ન્યાયિક પડકાર, મદ્રાસ હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી
સામાન્ય વર્ગને અપાયેલ 10 ટકા આર્થિક અનામતને વધુ એક ન્યાયિક પડકારનો સામનો કરવો પડશે. આ 10 ટકા સવર્ણ અનામતની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી તહસીન પૂનાવાલા તરફથી દાખલ કરવામાં આવી છે. આ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કૉંગ્રેસ સમર્થક કારોબારી તહસીન પૂનાવાલાએ કહ્યું છે કે આ 10 ટકા સવર્ણ અનામત એ આપણા સંવિધાનના મુળ આધારની […]
સામાન્ય વર્ગને અપાયેલ 10 ટકા આર્થિક અનામતને વધુ એક ન્યાયિક પડકારનો સામનો કરવો પડશે. આ 10 ટકા સવર્ણ અનામતની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી તહસીન પૂનાવાલા તરફથી દાખલ કરવામાં આવી છે.
આ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કૉંગ્રેસ સમર્થક કારોબારી તહસીન પૂનાવાલાએ કહ્યું છે કે આ 10 ટકા સવર્ણ અનામત એ આપણા સંવિધાનના મુળ આધારની સાથે છેડછાડ છે. વધુમાં તેણે અરજીમાં જણાવ્યું છે કે અનામતથી મર્યાદા 50 ટકા છે અને તેનાથી વધારે અનામત આપી શકાય નહીં. જે નિયમનો આ મોદી સરકાર દ્વારા અપાયેલ આર્થિક અનામત ઉલ્લંઘન કરે છે.
આર્થિક આધારે અનામત આપવામાં માટે સરકારે બંધારણમાં પણ બદલાવ કર્યો છે. બંધારણની અનુચ્છેદ-16એ સામાજિક પછાતપણાના આધારે અનામત આપવાની મંજુરી આપે છે. આમ આર્થિક આધારે અનામત એ 50 ટકા કરતાં વધારે અનામત ન આપી શકાય તે નિયમનું પણ ઉલ્લઘંન કરે છે.
[yop_poll id=749]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]