T-20: સહેવાગે રોહિત શર્મા અને સૌરભ તિવારીની વડાપાંવ અને સમોસા સાથે કરી સરખામણી, પ્રશંસકોએ દર્શાવી નારાજગી

ડિફેન્ડીંગ ચેમ્પીયન્સ મુંબઇ ઇન્ડિયન્સ ટી-20 લીગની 13 મી સિઝનમાં પ્રબળ દાવેદાર મનાય છે. બધાજ ખેલાડીઓ ફીલ્ડીંગ, બેટીંગ અને બોલીંગમાં સારુ પ્રદર્શન કર્યું છે. પોઇન્ટ ટેબલમાં પણ મુંબઇ 11 મેચ જીતીને સૌથી ઉપર છે. જ્યારે દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા અને ત્રીજા ક્રમાંક પર છે. આમ છતાં પણ મુંબઇ માટે મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. […]

T-20: સહેવાગે રોહિત શર્મા અને સૌરભ તિવારીની વડાપાંવ અને સમોસા સાથે કરી સરખામણી, પ્રશંસકોએ દર્શાવી નારાજગી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 27, 2020 | 9:09 PM

ડિફેન્ડીંગ ચેમ્પીયન્સ મુંબઇ ઇન્ડિયન્સ ટી-20 લીગની 13 મી સિઝનમાં પ્રબળ દાવેદાર મનાય છે. બધાજ ખેલાડીઓ ફીલ્ડીંગ, બેટીંગ અને બોલીંગમાં સારુ પ્રદર્શન કર્યું છે. પોઇન્ટ ટેબલમાં પણ મુંબઇ 11 મેચ જીતીને સૌથી ઉપર છે. જ્યારે દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા અને ત્રીજા ક્રમાંક પર છે. આમ છતાં પણ મુંબઇ માટે મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. કારણ કે  કેપ્ટન રોહિત શર્માં પંજાબ સામેની મેચમાં ઇજા પામ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોહિત ઇજાને લઇને મુંબઇની આખરી બે મેચોમાં નથી રમી શક્યો. આમાંથી મુંબઇને એક મેચમાં જીત મળી છે, જ્યારે બીજા મુકાબલામાં હારવુ પડ્યુ છે. મુંબઇને ચેન્નાઇ સામે ગત શુક્રવારે દસ વિકેટે ઐતિહાસિક જીત મળી હતી. જોકે તે મેચમાં કિરોન પોલાર્ડ મુંબઇની કેપ્ટનશીપ નિભાવી રહ્યા હતા. એજ ટીમ સાથે રાજસ્થાન રોયલ્સ સામે રમવુ પડ્યુ હતુ, જ્યાં આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની મોટી જીત પછી ભારતના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ જે પોતાના અંદાજમાં ટીપ્પણી કરી છે. તે હાજર જવાબી અને મજાકીયા ટીપ્પણીઓ માટે જાણીતા બન્યા છે. રોહિત શર્મા અને સૌરભ તિવારીની ફિટનેશ પર પણ ટીપ્પણી કરી હતી. કેપ્ટન રોહિત ના સ્થાન પર સૌરભ ની પસંદગી ને લઇને સહવાગે તર્ક રજુ કર્યુ હતુ કે, રોહિત એક વડા પાંવ છે, જ્યારે સૌરભ સમોસા પાંવ છે. એટલે એક સમોસા પાંવ જ એક વડા પાવની જગ્યા લઇ શકે છે.

સહવાગે શેર કરેલા એક વિડીયોમાં સહેવાગે આ અંગે પોતાના અંદાજમા કહ્યુ હતુ, રોહિત નથી રમી શકતો. પરંતુ વડા પાંવ ઘાયલ થયુ તો શુ થયુ, સમોસા પાંવે તેની જગ્યા મેળવી લીધી. પરંતુ રોહિત પર તેના આ બયાન પર હિટમેનના તેના પ્રંશસકોને તેમનો આ અંદાજ પસંદ નથી આવ્યો. તેમણે સોશિયલ મિડીયા પર સહવાગના ક્લાસ મેળવી લીધા છે. જોકે સહવાગ એક પોતે જ પ્રોફેશનલ ક્રિકેટર રહી ચુક્યો છે. જેના દ્રારા જ આવા શબ્દોને લઇને હવે પ્રશંસકોને પણ નારાજગી વર્તાઇ રહી છે.

https://twitter.com/CricketSaish45/status/1320030848305950730?s=20

https://twitter.com/YashR066/status/1319946140217987072?s=20

https://twitter.com/deepu_tweetz/status/1319907610120704001?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">