સુરત: સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીની કરી હત્યા, 8 વર્ષના દિકરાને માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો
સુરત: બળદેવ સુથાર શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પતિએ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. હાલ તો પોલીસ પતિની અટકાયત કરી પત્નીની હત્યાનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરી છે. મૂળ જામકંડોરણાના જામદાદર […]
સુરત: બળદેવ સુથાર
શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પતિએ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. હાલ તો પોલીસ પતિની અટકાયત કરી પત્નીની હત્યાનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરી છે. મૂળ જામકંડોરણાના જામદાદર ગામના અને સરથાણા વિસ્તારમાં આવેલી નીલમ સોસાયટીમાં રસિકભાઈ નસિતની પત્ની હર્ષાબેન(ઉ.વ.આ.35) અને 8 વર્ષના દીકરા સાથે રહે છે. હર્ષાબેન હીરાનું કામ કરે છે. દરમિયાન આજે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારબાદ પતિ રસિકે પત્ની હર્ષાનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પતિએ પત્નીનો સાદો મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાનું જણાયું હતું. હાલ પોલીસે પતિ રસિકભાઈની અટકાયત કરી લીધી છે અને હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે. આઠ વર્ષનો હર્ષાબેન રસિકભાઈ નસિતનો દિકરો ઉડાન સ્કૂલમાં ધોરણ-1માં અભ્યાસ કરી રહ્યો છે.
પિતાએ તેની માતાની હત્યા કરી છે. જેથી માતા ગુમાવવાની સાથે પિતાની અટકાયતથી દિકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે એક બાળક નોંધારું થયું કારણ કે બાળકની માતાની હત્યા, જ્યારે પિતા હવે જેલમાં તો બાળક નોંધારું થયું. હત્યા કરવા પાછળનું પ્રાથમિક તારણ એવું છે કે પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો