નીતિ આયોગના CEOનું ચૂંટણી વચ્ચે નિવેદન, ભારતમાં જો કોઈ મતદાન ન કરે તો આવી સજા આપી શકાય છે
નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ટવીટ કરતા કહ્યું કે જો ભારતમાં કોઈ મતદાન કરવા નથી જતું તો તેને આવી સજા આપી શકાય છે. નીતિ આયોગના CEO અમિતાભ કાંતના એક ટ્વિટ બાદ ચૂંટણીના માહોલમાં વિવાદ ઉભો થયો છે. અમિતાભ કાંતે કહ્યું કે ચૂંટણીમાં મતદાન ફરજિયાત હોવું જોઈએ. ભારતમાં ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. અને […]
નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ટવીટ કરતા કહ્યું કે જો ભારતમાં કોઈ મતદાન કરવા નથી જતું તો તેને આવી સજા આપી શકાય છે.
નીતિ આયોગના CEO અમિતાભ કાંતના એક ટ્વિટ બાદ ચૂંટણીના માહોલમાં વિવાદ ઉભો થયો છે. અમિતાભ કાંતે કહ્યું કે ચૂંટણીમાં મતદાન ફરજિયાત હોવું જોઈએ. ભારતમાં ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. અને ત્રણ તબક્કાનું મતદાન આગામી સમયમાં યોજાઈ જશે. ત્યારે અમિતાભ કાંતે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં પણ ચૂંટણીની પ્રક્રિયા શરૂ છે. અને ત્યાં પણ મતદાનને અનિવાર્ય કરી દેવાયું છે. ઓસ્ટ્રેલિયામાં જો કોઈ વ્યક્તિ મતદાન ન કરે તો તેને 20 ડોલરનો દંડ ફટકારવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ દંડ પણ ચૂકવતો નથી તો તેને જેલની સજા ફટકારવામાં આવે છે. જેથી ઓસ્ટ્રેલિયામાં તમામ વર્ગના લોકો ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બની રહ્યા છે.
અમિતાભે પોતાના ટ્વીટ દ્વારા મતદાનને ફરજિયાત કરવાની વાત કહી છે. ત્યારે ચૂંટણી પંચના પૂર્વ કમિશનર એસ.વાય કુરૈશીએ કહ્યું કે મિસ્ટર કાંત તમને જેમ વોટ કરવાનો અધિકાર મળ્યો તે રીતે ન કરવાનો પણ અધિકાર મળ્યો છે. અમિતાભે એસ.વાય કુરૈશીના ટવીટનો જવાબ આપતા કહ્યું કે જરૂરી નથી કે મતદાન ન કરનારા પર કાનૂની કાર્યવાહી જવી જોઈએ. પરંતુ જે લોકો મતદાન નથી કરતા તેને દંડ પણ ફટકારી શકાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]