સાબરકાંઠાઃ પ્રાંતિજ પંથકમાં પાછોતરા વરસાદ દરમિયાન ફુલાવરના વાવેતરમાં નુકસાન, ફુગની સમસ્યા સર્જાતા વાવણી નિષ્ફળ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ફ્લાવર અને કોબીજનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતુ હોય છે, પરંતુ હાલમાં જે રીતે પાછોતરો વરસાદ વરસવા લાગ્યો છે. જેને લઈને શાકભાજી અને ખાસ કરીને ફુલાવર ઉત્પાદીત કરતાં ખેડૂતો માટે જાણે કે આફતનો વરસાદ વરસતો હોય તેવી સ્થિતી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આસપાસનો વિસ્તાર એટલે ફ્લાવર અને કોબીજના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર […]

સાબરકાંઠાઃ પ્રાંતિજ પંથકમાં પાછોતરા વરસાદ દરમિયાન ફુલાવરના વાવેતરમાં નુકસાન, ફુગની સમસ્યા સર્જાતા વાવણી નિષ્ફળ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 4:48 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ફ્લાવર અને કોબીજનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતુ હોય છે, પરંતુ હાલમાં જે રીતે પાછોતરો વરસાદ વરસવા લાગ્યો છે. જેને લઈને શાકભાજી અને ખાસ કરીને ફુલાવર ઉત્પાદીત કરતાં ખેડૂતો માટે જાણે કે આફતનો વરસાદ વરસતો હોય તેવી સ્થિતી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આસપાસનો વિસ્તાર એટલે ફ્લાવર અને કોબીજના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. પિલુદ્દા, મામરોલી, પોગલુ, જેસીંગપુરા, કમાલપુર અને અમિનપુર પંથકના સંખ્યા બંધ ગામડાઓમાં ફુલાવરની ખેતી કરવામાં આવે છે. અહી મોંઘાભાવના બિયારણને લઈને ફુલાવરની ખેતી કરવામાં આવે છે. પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તે ખેડૂતો માટે આફતરુપ છે.

Sabarkantha: Pratinj panthak ma pachotra varsad darmiyan fulavar na vavetar ma nukshan fug ni samasya sarjata vavni nisfal

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Sabarkantha: Pratinj panthak ma pachotra varsad darmiyan fulavar na vavetar ma nukshan fug ni samasya sarjata vavni nisfal

વિસ્તારમાં ખેડૂતોએ હાલમાં પાછોતરા વરસાદને લઈને પોતાની ખેતીને એક બે વાર કરતા પણ વધુ વખત વાવણી કરવી પડી રહી છે. હાલમાં પાછોતરા વરસાદને લઈને ફુલાવરના પાકમાં ફુગ આવી જતી હોવાને લઈને પાકની વાવણી જ ખેતરમાં સુકાઈ જઈ રહી છે. ખેતરમાં પાકની વાવણી મોંઘાદાટ ખર્ચ બાદ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેને વાવણી બાદ માવજત પણ કરવા પરસેવો વહાવવો પડે છે તો બીજી તરફ ખેડૂતોએ વાવણી માટે તૈયાર કરેલા વાવણીના રોપા પણ ખરાબ થઈ રહ્યા છે. આમ માવજતની મહેનત અને વાવણીનો ખર્ચ બંને હાલના પાછોતરા વરસાદી માહોલને લઈને ગુમાવવાનો વખત આવ્યો છે. પ્રાંતિજ વિસ્તારમાં એક અંદાજ મુજબ 3500 થી 4000 હેક્ટર વિસ્તારમાં ફુલાવરની ખેતી કરવામાં આવે છે અને આ ખેડૂતો ફલાવરની ખેતીને સાહસ જ નહીં પણ સટ્ટાની માફક જ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Sabarkantha: Pratinj panthak ma pachotra varsad darmiyan fulavar na vavetar ma nukshan fug ni samasya sarjata vavni nisfal

પ્રાંતિજના આસપાસના ગામડાઓના વિસ્તારમાં ફુલાવરનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે અને આ ખેતીમાં તેઓ ભરપુર ઉત્પાદનને ગુજરાતના અમદવાદ અને સુરત ઉપરાંત મુંબઈ, નાસિક, પુના અને દિલ્હી જેવા શહેરોમાં પણ ફુલાવરની નિકાસ કરે છે અને લાખો રૂપિયાનું વળતર મેળવે છે. પરંતુ હાલમાં જે પ્રમાણે ચોમાસુ છેલ્લા એકાદ સપ્તાહથી જામી ચુક્યુ છે તેને લઈને ખેડૂત વર્ગને આનંદ છે. પરંતુ આ વચ્ચે જ એવા પણ કેટલાક ખેડૂતો છે કે જેમને માટે વરસાદી માહોલ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. જો કે એ વાત અલગ છે કે નુકસાન ભોગવનાર ખેડૂતો પણ વરસાદની આશા એટલી જ સેવી રહ્યા છે જેટલી આશા સૌ કોઈને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાલમાં સતત વરસાદી માહોલને લઈને ફુલાવર અને કોબીજની વાવણી કરનાર ખેડૂતોની વાવણીનો પ્રથમ તબક્કો જ ફુગ અને કોહવાડ થવાને લઈને ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે. આ અંગે સ્થાનિક મામરોલી વિસ્તારના અગ્રણી ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ અને સમીરભાઈ પટેલ કહે છે કે વિસ્તારમા અનેક ખેડૂતોએ ફુલાવરની ખેતી કરી છે પણ હાલમાં વરસાદની મૌસમને લઈને સમસ્યા સર્જાઈ છે. રોપામાં ફુગ આવવાને લઇને વાવણી નિષ્ફળ જઈ રહી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">