પૂજામાં જ નહીં આરોગ્ય અને સુંદરતા વધારવા પણ મદદ કરશે લીલા નારિયેળનું સેવન
નારિયેળનો ઉપયોગ પૂજાથી લઈને સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આરોગ્ય અને સુંદરતા બન્ને રૂપમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અત્યાર સુધી નારિયેળના ગુણો વિશે સાંભળ્યું હશે. વાળના ગ્રોથ અને તેની હેલ્ધી રાખવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં જ ત્વચામાં ચમક લાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક […]
નારિયેળનો ઉપયોગ પૂજાથી લઈને સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આરોગ્ય અને સુંદરતા બન્ને રૂપમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અત્યાર સુધી નારિયેળના ગુણો વિશે સાંભળ્યું હશે. વાળના ગ્રોથ અને તેની હેલ્ધી રાખવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં જ ત્વચામાં ચમક લાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક તમે લીલા નાળિયેરના ફાયદા વિશે સાંભળ્યું છે ? નહીં તો તેને ચોક્કસથી જાણો, કારણ કે નારિયેળમાં પોષક તત્વો છે જે તમારા આરોગ્ય માટે કોઇ વરદાનથી ઓછું નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લીલું નાળિયેર ખાવાના ફાયદા : 1. જો તમને પેટ સંબંધી પરેશાનીઓ હોય તો લીલા નારિયેળનું સેવન તમને પેટની સમસ્યાથી રાહત અપાવશે. જો તમે લીલા નારિયેળનું સેવન કરો છો તો કબજિયાતની સમસ્યા તમે ક્યારેય પરેશાન નહીં કરે.
2. જો તમે ડ્રાય સ્કીનથી પરેશાન છો, તો તમારે કાચું નારિયેળ ખાવું જોઈએ. તેના સેવનથી તમારી સ્કીન સુંદર બની રહેશે અને તે તમારી ત્વચાને પોષણ આપે છે. તેને હાઈડ્રેટ કરીને કોમળ બનાવી રાખવામાં મદદ કરે છે. ત્વચાની ડ્રાયનેસ ખતમ કરીને તેને મુલાયમ અને સોફ્ટ બનાવે છે.
3. તમે વધતા વજનથી પરેશાન છો તો કાચા નાળીયેર ખાવાથી તમે તમારું વજન કંટ્રોલ કરી શકો છો. કારણ કે તે ક્રેવિંગ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.
4. એક પરફેક્ટ શેપની જો લાઈન(ચહેરાનો શેપ) તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે. જ્યારે તમે કાચા નારિયેળનું ખાઓ છો તો તમારી જો લાઈનને એક સારી કસરત મળે છે. જેનાથી તેનો શેપ સારો થાય છે. ચહેરાની માંસપેશીઓ ને કસરત કરવા માટેની એક શ્રેષ્ઠ રીત છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.