પીએમ મોદી દેશભરના 20 હજાર સરપંચોને સંમેલનમાં કરશે સંબોધન, જુઓ VIDEO
પીએમ મોદી રિવરફ્રન્ટ પાસે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. દેશભરમાંથી 20 હજાર જેટલા સરપંચો આ સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોના ગામોનાં 20 હજારથી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં તેઓ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવાની સમગ્ર […]
પીએમ મોદી રિવરફ્રન્ટ પાસે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. દેશભરમાંથી 20 હજાર જેટલા સરપંચો આ સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોના ગામોનાં 20 હજારથી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં તેઓ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવાની સમગ્ર દેશને અપીલ કરશે. સરપંચ સંમેલનમાં ગુજરાતના 10,000 સરપંચ તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 10000 સરપંચ મળી કુલ 20000 સરપંચ ભાગ લેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO