ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI દ્વારા જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમની કારમાંથી બહાર આવ્યા ત્યારે ASIએ તેમના પર ગોળીબાર કર્યો. જો કે, પોલીસ કર્મચારીઓએ તેમના પર શા માટે ગોળીબાર કર્યો તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI દ્વારા જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા
Odisha Health Minister Naba DasImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 3:28 PM

ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બ્રિજરાજનગર પાસે હુમલો થયો છે. ગાંધી ચોક પાસે પોલીસકર્મીએ તેને ગોળી મારી હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાબા દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: સરકારે LICને અમીરો માટે લૂંટનું માધ્યમ બનાવ્યું, અદાણી ગ્રુપમાં રોકાણ પર ખડગેની ટિપ્પણી

જ્યારે સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમની કારમાંથી બહાર આવ્યા ત્યારે ASIએ તેમના પર ગોળીબાર કર્યો. જોકે, પોલીસ કર્મચારીઓએ તેમના પર શા માટે ગોળીબાર કર્યો તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના બાદ નાબા દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બીજેડી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા, ત્યારબાદ ઘટનાસ્થળે તણાવ વધી ગયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

એવું માનવામાં આવે છે કે નાબા દાસ પરનો આ હુમલો પૂર્વ આયોજિત હતો કારણ કે મંત્રીને કથિત રીતે નજીકથી ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા પગલાં પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કારણ કે નાબા દાસને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી.

ઓરિસ્સાના કેબિનેટ મંત્રી પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઈ છે, જે ગાંધી ચોકમાં ASI તરીકે તૈનાત હતા. મળતી માહિતી મુજબ ASI ગોપાલ દાસે પોતાની રિવોલ્વરમાંથી નાબા દાસ પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી મારનાર હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાબા દાસની હાલત ખૂબ જ ગંભીર છે, તેમને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવી રહ્યા છે.

ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચ કરશેઃ સીએમ પટનાયક

ઓરિસ્સા ક્રાઈમ બ્રાન્ચ નાબા દાસ પર થયેલા ખૂની હુમલાની તપાસ કરશે. ઓડિશાના સીએમ નવીન પટનાયકે કહ્યું કે મને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી આઘાત લાગ્યો છે. હું આ ઘટનાની સખત નિંદા કરું છું અને નાબા દાસના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ કેસની તપાસ માટે મેં ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જવાનો આદેશ આપ્યો છે.

આ ઘટનાથી અમે સ્તબ્ધ છીએ: બીજેડી નેતા

બીજેડીના વરિષ્ઠ નેતા પ્રસન્ના આચાર્યએ કહ્યું કે ફોન પર સમાચાર મળ્યા પછી અમે સંપૂર્ણ રીતે ચોંકી ગયા છીએ. આ ફાયરિંગમાં કોણ સામેલ છે અને શા માટે કરવામાં આવ્યું તે કહેવું વહેલું છે. અમે તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ.

પોલીસ ઝીણવટભરી તપાસ કરશે. વરિષ્ઠ પત્રકાર પ્રસન્ન મોહંતી અનુસાર, નાબા કિશોર દાસ બીજેડીના મુખ્ય નેતા છે. આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલા તેમના પર ગોળીબાર ચોક્કસપણે ચિંતાનો વિષય છે કારણ કે ઓરિસ્સામાં ચૂંટણી દરમિયાન હિંસાનો સાક્ષી ઈતિહાસ છે.

કોણ છે નાબા કિશોર દાસ?

નાબા કિશોર દાસ ઓરિસ્સાના ઝારસુખડા જિલ્લાના પ્રભાવશાળી નેતા છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા, ત્યાંથી નાબા દાસ બીજુ જનતા દળમાં જોડાયા. નવીન પટનાયકે તેમની સરકારમાં આરોગ્ય વિભાગ જેવો મોટો વિભાગ તેમને સોંપ્યો છે.

શનિ શિંગણાપુરમાં એક કરોડનું સોનું કર્યુ હતું દાન

બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા નાબા દાસ તાજેતરમાં ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે મહારાષ્ટ્રના એક મંદિરમાં એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સોનાનો કળશ દાન કર્યો હતો. નાબા દાસે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં 1.7 કિલો સોના અને 5 કિલો ચાંદીના બનેલા કળશનું દાન કર્યું હતું, જે દેશના પ્રસિદ્ધ શનિ મંદિરોમાંનું એક છે.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">