નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિએ દયા અરજી નામંજૂર કર્યા બાદ આ દિવસે અપાશે ફાંસી
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ કોર્ટે જાહેર કરી દીધુ છે. ચારેય આરોપીને 1 ફેબ્રુઆરીની સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલાના કેસમાં ગુનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરી દેવાઈ છે. દયા અરજી પહેલા પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુનેગાર મુકેશ સિંહ […]
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ કોર્ટે જાહેર કરી દીધુ છે. ચારેય આરોપીને 1 ફેબ્રુઆરીની સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલાના કેસમાં ગુનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરી દેવાઈ છે. દયા અરજી પહેલા પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુનેગાર મુકેશ સિંહ કોર્ટ પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે પોતાના 57 ઉમેદવારની યાદી કરી જાહેર
નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, જ્યાં સુધી ગુનેગારોને ફાંસીએ નહીં લટકાવવામાં આવે, ત્યાં સુધી મારી દિકરીને ન્યાય મળશે નહીં. મને છેલ્લા સાત વર્ષથી તારીખ પર તારીખ અપાઈ રહી છે. દરેક જગ્યાએ ગુનેગારો માટેના માનવાધિકારનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ શું અમારા માનવાધિકાર નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો