ફલાઇટથી મુંબઈ જનારા લોકોના ખિસ્સા પર ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પડી શકે છે બોજો, 52 દિવસ સુધી આ ખાસ કારણથી વધી જશે ભાડુ
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક રનવેને 52 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રનવેનું સમારકામ કરવાનું હોવાથી આ રનવે બંધ કરવાની ફરજ પડી રહી છે. આ રનવેના સમારકામના લીધે 52 દિવસ બંધ રહેવાથી મુંબઈ એરપોર્ટના ટ્રાફિક પર વિપરીત અસર પડી શકે છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક રનવેને 52 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રનવેનું સમારકામ કરવાનું હોવાથી આ રનવે બંધ કરવાની ફરજ પડી રહી છે.
આ રનવેના સમારકામના લીધે 52 દિવસ બંધ રહેવાથી મુંબઈ એરપોર્ટના ટ્રાફિક પર વિપરીત અસર પડી શકે છે.
સમારકામના લીધે એક રનવે બંધ કરવામાં આવશે તો મુંબઈ એરપોર્ટના મુખ્ય રનવે પર ફલાઈટનો ટ્રાફિક વધી જશે. હાલ મુખ્ય રનવે પર કલાકમાં 50 ફલાઈટસને ઉતારી શકાય છે. રનવેના બંધ થવાથી રોજની 30 ફલાઈટ કેન્સલ કરવાની ફરજ પડી શકે છે અને 52 દિવસ સુધી કુલ 5 હજાર ફલાઈટસ્ કેન્સલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
7 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી રનવે બંધ રાખવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પર મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી રનવેનું સમારકામ કરાશે.આ રનવેના સમારકામથી ફલાઈટ કેન્સલ થશે જેના લીધે મુંબઈ જનારા લોકોને વધારે પૈસા ચુકવવાનો વારો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આગળના મહિનાથી મુંબઈ જતી ફલાઈટના ભાડામાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
[yop_poll id=809]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]