Junagadh: કેશોદ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ સમાજમાં રોષ, સંપ્રદાય બચાવવા આંદોલનના મંડાણ

Junagadh સ્વામિનારાયણ મંદિરમાં ગેરરીતિને લઇને આંદોલનના મંડાણ થઇ ચૂક્યા છે. Keshod Swaminarayan Sampraday સત્સંગ સમાજમાં રોષ ફેલાયો છે

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 08, 2021 | 4:29 PM

ગઢડા, વડતાલ અને Junagadh સ્વામિનારાયણ મંદિરમાં ગેરરીતિને લઇને આંદોલનના મંડાણ થઇ ચૂક્યા છે. Keshod Swaminarayan Sampraday સત્સંગ સમાજમાં રોષ ફેલાયો છે અને સંપ્રદાય બચાવવા ટૂંક સમયમાં 1 લાખ કરતા વધુ સત્સંગીઓને ભેગા થવા હાંકલ કરવામાં આવી છે.કેશોદમાં દ્વિતિય ધર્મ સિદ્ધાંત સભા યોજાઇ હતી, જેમાં 2 જિલ્લાના સત્સંગીઓ હાજર રહ્યા. સભામાં વક્તાઓએ ગઢડા સ્વામિનારાયણ મંદિરની ઘટનાને વખોડી અને સ્વામિનારાયણ મંદિરમાં થતી ગેરરીતિઓ અટકાવી ધર્મને બચાવવા હાંકલ કરી.સંપ્રદાયને બચાવવા મેદાને પડેલા સત્સંગી યુવકોએ કમિટીની રચના કરી છે, જે હવે સોશિયલ મીડિયા અને સભાઓ દ્વારા પ્રચાર કરશે.સત્સંગ સમાજ દ્વારા અનેક જગ્યાએ સભાઓ યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, તૃતીય ધર્મ સિદ્ધાંત સભા 10 ફેબ્રુઆરી એટલે કે બુધવારે રાજકોટના ભૂપગઢ ખાતે યોજવા તૈયારીઓ ચાલી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">